Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સુરત: ચૌટા બજારમાં કાયમી દબાણ દુર કરવા માટે પાલિકાનું આકરૂ વલણ

On: March 23, 2022 8:06 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– દુકાન બહાર દબાણ કરવામાં દુકાનદાર મદદ કરશે તો દુકાનો સીલ કરવામાં આવશે

– દુકાનદાર સામે પાલિકાની કાર્યવાહીનો આદેશ પણ બહારથી આવતાં ફેરિયાઓના દબાણ માટે કોઈ કામગીરી નહી

સુરત, તા.23 માર્ચ 2022,બુધવાર

સુરત મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનમાં દબાણ માટે કુખ્યાત ચૌટા બજારમાં દબાણ કાયમી ધોરણે દુર કરવા માટે પાલિકાએ આક્રમક વલણ અપનાવ્યું છે. પાલિકાએ ચૌટા  બજાર ના તમામ દુકાનદારોને નોટીસ ફટા કરીને તેમની દુકાન બહાર દબાણ થશે તો દુકાન સીલ કરવાની કામગીરી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. પાલિકાની આ નોટીસ ને પગલે આજે તો ચૌટા બજારમાં દુકાન બહાર દબાણ ઓછા થઈ ગયા છે પરંતુ બહારથી આવતા અને પાથરણા, છાબડી લઈને આવતા લોકોના દબાણ હજી પણ જોવા મળી  રહ્યાં છે.

સુરતના ચૌટા બજારમાં દબાણ દુર કરવા માટે સ્થાનિકો દ્વારા  આક્રમક વિરોધ કર્યા બાદ પાલિકા તંત્ર એ દબાણ માટે જવાબદાર એવા દુકાનદારોને નોટીસ ફટકારવાનું  શરૃ કર્યું છે. આ પહેલાં પાલિકાના કતારગામ ઝોનમાં દુકાન બહાર દબાણ થયા હતા તે દુકાનો સીલ કરવાની કામગીરી કરી હતી.  આ કામગીરી બાદ કતારગામ ઝોનમાં દુકાન બહાર થતા દબાણ દુર થતાં હવે તે જ રીત પાલિકા ચૌટા બજારમાં અપનાવવા જઈ રહી છે.

પાલિકા દ્વારા ચૌટા બજારમાં દુકાન ધરાવતા દુકાનદારોને નોટિસ ફટકારી છે તેમાં જણાવ્યું છે કે, ચૌટા બજારમાં કાયમી ધોરણે દબાણ દુર કરવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી. પરંતુ દુકાનો બહાર પાથરણા, એંગલ અને પતરા મુકવા સાથે લારી ઉભી રાખીને દબાણ કરવામાં આવે છે. દુકાનદાર દબાણની ગેરકાયદે પ્રવૃત્તિ ને પ્રોત્સાહન આપી રહ્યાં છે તે બહાર આવ્યું છે. આ અંગે વારંવાર સૂચના આપવા છતાં પણ તમારી મિલકત બહાર ગેરકાયદે દબાણ થઈ રહ્યાં છે. 

દબાણ કરનારાઓને પ્રોત્સાહન આપવાની નીતિના કારણે સ્થાનિક તથા રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. તેથી આ નોટિસ આપીને ફરીથી વેપારીઓને જાણ કરવામાં આવે છે કે દુકાન બહાર દબાણ ત્રણ દિવસમાં દૂર કરવામાં આવશે નહીં તો દુકાન સીલ કરવામાં આવશે. પાલિકાની આ નોટિસ બાદ દુકાનદારોએ પોતાની દુકાન  બહાર દબાણ ઓછા કરી દીધા છે અને દુકાન સીલ થાય તેની બીકે કદાચ હંગામી ધોરણે આ દબાણ દૂર પણ થઈ શકે છે.

પાલિકાની આ નોટીસને પગલે ચૌટા બજારમાં દુકાન બહાર આજે દબાણ ઓછા થઈ ગયા છે પરંતુ બહાર ગામથી આવતા ફેરિયા અને પાથરણાવાળાઓ તથા છાબડી વાળા ના દબાણ યથાવત જોવા મળે છે. પાલિકા દુકાનદારો સામે તો સીલીંગ નો કોરડા વીંઝવા તૈયારી કરી રહી છે તેની સાથે ગેરકાયદે દબાણ કરતાં છાબડી વાળા કે પાથરણાવાળા સામે પણ પગલાં ભરે તેવી માગણી થઈ રહી છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!