Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા કોર્પોરેશન પણ હવે જર્જરિત મકાનોની રીડેવલપમેન્ટ યોજના અમલમાં મૂકશે

On: March 23, 2022 7:44 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા,તા.23 માર્ચ 2022,બુધવાર

વડોદરા કોર્પોરેશને તાંદલજા, તરસાલી, નવીધરતી , બાવચાવાડ, જેતલપુર સહિતના વિસ્તારોમાં આવાસો બનાવી આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ફાળવ્યા હતા. જે હાલ જર્જરિત થઈ જતા મકાનના પુનનિર્માણ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રિડેવલપમેન્ટ ઓફ પબ્લિક હાઉસિંગ સ્કીમના અમલીકરણ માટે પ્રથમ તબક્કામાં તાંદલજા સનફારમા રોડ ખાતેના આવાસોનો સમાવેશ કરવા તથા આ પ્રકારના અન્ય કિસ્સાઓમાં આ યોજનાના અમલીકરણ માટેના નીતિ વિષયક નિર્ણયની સત્તા મ્યુનિસિપલ કમિશનરને સોંપવા સ્થાયી સમિતિ મારફતે સમગ્ર સભાની મંજૂરી અંગે નું કામ રજૂ થયું છે. અત્રે નોંધનીય છે કે, લાભાર્થીઓને તેજ સ્થળે આવાસ મળવાથી ઘણા લાભ થશે.

વડોદરા કોર્પોરેશનના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં વિવિધ પ્રકારના આવાસો બનાવવામાં આવે છે. જે આવાસો પીપીપી મોડલ, એએચપી અને બીએલસી હેઠળ સરકારની જમીન, લાભાર્થીની પોતાની માલિકીની જમીન અથવા યુએલબીની માલિકીની જમીન પર યોજનાની ગાઈડ લાઈન મુજબ બાંધકામ કરવામાં આવે છે. સરકારી વિભાગો દ્વારા નિર્મિત કરાયેલા આવાસો લાંબા ગાળે મોટાભાગના કિસ્સાઓમાં મેન્ટેનન્સના અભાવે જર્જરિત થતાં હોય તેવા જર્જરિત મકાનોના પુનઃનિર્માણ માટે રિડેવલપમેન્ટ ઓફ પબ્લિક હાઉસિંગ સ્કીમ 2016 હેઠળ રાજ્ય સરકાર દ્વારા યોજનાના લાભ માટે લાભાર્થી નક્કી સૂચન કર્યું છે. આ યોજનામાં લાભાર્થીઓને પ્રાથમિક સુવિધા સાથે બે રૂમ રસોડાનું 30 ચોરસ મીટર કારપેટ એરિયા વાળુ મકાન આપવામાં આવશે. અને લાભાર્થીને પજેશનના મળે ત્યાં સુધી ભાડું જે તે કોન્ટ્રાક્ટર દ્વારા ચૂકવાશે. વડોદરા કોર્પોરેશન દ્વારા નબળા વર્ગો માટે વર્ષ 2003-04માં તાંદલજા સનફારમા રોડ ખાતે કુલ 240 આવાસો ફાળવ્યા હતા. જે હાલમાં નીલગીરી ફ્લેટ નામે ઓળખાય છે. હાલ આવાસોની સ્થિતિ જર્જરિત છે. જેથી વહીવટી વોર્ડ નંબર છ ની નિર્ભયતા શાખા તરફથી અવારનવાર નોટિસ પણ પાઠવવામાં આવી છે. નીલગીરી ફ્લેટના રહીશોએ સમાયંતરે સરકારી આવાસ યોજનામાં સમાવેશ કરવા રજૂઆત કરી હતી. જેથી કોર્પોરેશનને સર્વે હાથ ધરતાં કેટલીક વિગતો સપાટી પર આવી હતી. જેમાં મૂળ લાભાર્થીઓ દ્વારા અન્ય વ્યક્તિઓને મોટા ભાગના મકાનો વેચી દેવામાં આવ્યા છે. કેટલાક મકાનો ભાડે આપવામાં આવ્યા છે. લાભાર્થીઓને ફળવેલા કેટલાક મકાનો લાંબા સમયથી બંધ છે.

હાલ વસવાટ કરતા વ્યક્તિ પાસે વડોદરા શહેર કે તેની સીમમાં રહેણાંક આવાસ કે પ્લોટ અથવા તેના પરિવારના નામે ધરાવતો નથી. તેવા લાભાર્થીઓને સમાવેશ કરી શકાય .તેમજ મુળ લાભાર્થી દ્વારા સંમતિ આપવામાં આવે તો પણ લાભાર્થીને યોજનાનો લાભ મળશે. 25 માર્ચ શુક્રવારના રોજ મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં આ અંગે ચર્ચા-વિચારણા બાદ નિર્ણય લેવાશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!