[ad_1]

જામનગર, તા.22 માર્ચ 2021,મંગળવાર
ભારતના રાષ્ટ્રપતિ આગામી 25મીએ જામનગરની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે આગમનના પગલે વહીવટી તંત્ર એલર્ટ બની ગયું છે. પોલીસ વિભાગ દ્વારા સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત જાળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જામનગરના ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા નીતીશ પાંડેની આગેવાનીમાં પોલીસ બંદોબસ્ત માટેના પોઇન્ટ ફાળવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં જામનગર શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા જુદા જુદા પોલીસ કર્મચારી, હોમગાર્ડના જવાનો વગેરેને તેઓના જુદા જુદા પોઇન્ટ નક્કી કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને તેના માટે જામનગરના પોલીસ હેડકવાર્ટરમાં વિશેષ કેમ્પ રાખવામાં આવ્યો હતો. અને પોલીસ કર્મચારીઓના પોઇન્ટની ફાળવણી કરી દેવામાં આવી હતી.
[ad_2]
Source link






