સારસા મંડળીનું દૂધ અમૂલે લેવાનું બંધ કરતા 400 જેટલા પશુપાલકો રઝળી પડયાં

On: March 21, 2022 9:02 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– દૂધ મંડળીમાંથી ભેળસેળ યુક્ત દૂધ આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી

– દૂધના સેમ્પલો ચકાસણી કરાતા એસએનએફ જણાઇ આવતા અમૂલે મંડળીનું દૂધ લેવાનું બંધ કર્યું હતું

આણંદ : આણંદ તાલુકાના સારસા ગામની દૂધ મંડળીમાં ભેળસેળયુક્ત દૂધ આવતા અમૂલ ડેરી દ્વારા ટેસ્ટીંગ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં ૫૪ જેટલા પશુપાલકોના દૂધના સેમ્પલની ચકાસણી કરવામાં આવતા સેમ્પલમાં એસએનએફ માલુમ પડતા અમૂલ દ્વારા દૂધ લેવાનું બંધ કરાતા ગામમાં ભારે ચકચાર મચી છે. મંડળીના આશરે ૪૦૦થી વધુ સભાસદોને પોતાનું દૂધ ક્યાં ભરવું તે યક્ષ પ્રશ્ન થઈ ગયો છે.

તાલુકાના સારસા ગામની દૂધ મંડળીમાં કેટલાક પશુપાલકો દ્વારા છેલ્લા ઘણાં સમયથી ભેળસેળયુક્ત દૂધ ભરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી. જેને લઈ તાજેતરમાં અમૂલ ડેરી દ્વારા સારસા દૂધ મંડળીમાંથી આવતા દૂધની ચકાસણી કરી સેમ્પલો લેવામાં આવ્યા હતા. આ સેમ્પલોમાં એસએનએફ માલુમ પડતા અમૂલ દ્વારા દૂધ લેવાનું બંધ કરાતા પશુપાલકોમાં ભારે નારાજગી વ્યાપી છે. લગભગ ૪૦૦ થી વધુ સભાસદો આ મંડળી ધરાવે છે પરંતુ કેટલાક ગણ્યા-ગાંઠયા પશુપાલકોને કારણે અન્ય સભાસદોને પણ વેઠવાનો વારો આવ્યો છે ત્યારે મંડળીને કેટલાક હોદ્દેદારોની પણ સંડોવણી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

દૂધ મંડળીમાં દૂધ લેવાનું બંધ કરાતા પશુપાલકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અમૂલની ટીમો દ્વારા સેમ્પલો લઈ ટેસ્ટીંગ કરવામાં આવે છે અને જો ટેસ્ટીંગમાં ભેળસેળ માલુમ થાય તો આખેઆખી દૂધ મંડળીનું દૂધ બંધ કરી દેવામાં આવે છે. જેના કારણે ભેળસેળ નહી કરી ઈમાનદારી દાખવતા પશુપાલકોને પણ વેઠવું પડતુ હોય છે ત્યારે આ મામલે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પશુપાલકો દ્વારા કરાઈ છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!