[ad_1]

– દૂધ મંડળીમાંથી ભેળસેળ યુક્ત દૂધ આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી
– દૂધના સેમ્પલો ચકાસણી કરાતા એસએનએફ જણાઇ આવતા અમૂલે મંડળીનું દૂધ લેવાનું બંધ કર્યું હતું
તાલુકાના સારસા ગામની દૂધ મંડળીમાં કેટલાક પશુપાલકો દ્વારા છેલ્લા ઘણાં સમયથી ભેળસેળયુક્ત દૂધ ભરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી. જેને લઈ તાજેતરમાં અમૂલ ડેરી દ્વારા સારસા દૂધ મંડળીમાંથી આવતા દૂધની ચકાસણી કરી સેમ્પલો લેવામાં આવ્યા હતા. આ સેમ્પલોમાં એસએનએફ માલુમ પડતા અમૂલ દ્વારા દૂધ લેવાનું બંધ કરાતા પશુપાલકોમાં ભારે નારાજગી વ્યાપી છે. લગભગ ૪૦૦ થી વધુ સભાસદો આ મંડળી ધરાવે છે પરંતુ કેટલાક ગણ્યા-ગાંઠયા પશુપાલકોને કારણે અન્ય સભાસદોને પણ વેઠવાનો વારો આવ્યો છે ત્યારે મંડળીને કેટલાક હોદ્દેદારોની પણ સંડોવણી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
દૂધ મંડળીમાં દૂધ લેવાનું બંધ કરાતા પશુપાલકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અમૂલની ટીમો દ્વારા સેમ્પલો લઈ ટેસ્ટીંગ કરવામાં આવે છે અને જો ટેસ્ટીંગમાં ભેળસેળ માલુમ થાય તો આખેઆખી દૂધ મંડળીનું દૂધ બંધ કરી દેવામાં આવે છે. જેના કારણે ભેળસેળ નહી કરી ઈમાનદારી દાખવતા પશુપાલકોને પણ વેઠવું પડતુ હોય છે ત્યારે આ મામલે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પશુપાલકો દ્વારા કરાઈ છે.
[ad_2]
Source link






