Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ગાંધીધામ, જામનગર સહિત ચાર જોડી ટ્રેનોમાં શ્રીમાતા વૈષ્ણોદેવી કતરા માટે વધારાના કોચ જોડાશે

On: March 19, 2022 9:53 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

પ્રતિનિધિ દ્વારા, સુરત, તા. 19 માર્ચ 2022, શનિવાર

શ્રીમાતા વૈષ્ણોદેવી કતરા સુધી ચાલતી વિવિધ ૪ જોડી ટ્રેનોમાં પશ્ચિમ રેલવેએ જુલાઈથી વધારાના ફર્સ્ટ ક્લાસ એસી, થ્રી ટાયર એસી અને જનરલ કોચ પ્રવાસીઓની સુવિધા માટે જોડવાનું નક્કી કર્યું છે.

 ગાંધીધામ, જામનગર, હાપા અને બાંદ્રાથી ઊપડતી શ્રીમાતા વૈષ્ણોદેવી કતરા માટેની ૪ જોડી ટ્રેનોમાં વધારાના કોચ જોડાતાં પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવામાં મદદ થશે. આ ટ્રેનોમાં અન્ય કોચ ઉપરાંત વધારાના એસી ફર્સ્ટ ક્લાસ કોચ ઉમેરીને ટ્રેનોના માળખામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.

ટ્રેન (12471/12472) બાંદ્રા ટર્મિનસ-શ્રીમાતા વૈષ્ણો દેવી કટરા સ્વરાજ એક્સપ્રેસને એક એસી ફર્સ્ટ ક્લાસ, એક એસી 3-ટાયર અને બે જનરલ સેકન્ડ ક્લાસ કોચ સાથે વધારવામાં આવશે. આ વધારાના કોચને તા. 8મી જુલાઈથી બાંદ્રા ટર્મિનસ અને તા. 6ઠ્ઠી જુલાઈથી શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા સાથે જોડવામાં આવશે.

ટ્રેન (12473/12474) ગાંધીધામ-શ્રીમાતા વૈષ્ણો દેવી કટરા સર્વોદય એક્સપ્રેસને એક એસી ફર્સ્ટ ક્લાસ, એક એસી 3-ટાયર અને બે જનરલ સેકન્ડ ક્લાસ કોચ સાથે વધારવામાં આવશે. આ વધારાના કોચને તા. 9મી જુલાઈથી ગાંધીધામ અને તા.7મી જુલાઈથી શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા સાથે જોડવામાં આવશે.  ટ્રેન (12475/12476) હાપા-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સુપરફાસ્ટ એક્સપ્રેસને એક એસી ફર્સ્ટ ક્લાસ, એક એસી 3-ટાયર અને બે જનરલ સેકન્ડ ક્લાસ કોચ સાથે વધારવામાં આવશે. આ વધારાના કોચ તા.12મી જુલાઈથી હાપા અને તા. 11મી જુલાઈથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સાથે જોડવામાં આવશે.

ટ્રેન (12477/12478) જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સુપરફાસ્ટ એક્સપ્રેસને એક એસી ફર્સ્ટ ક્લાસ, એક એસી 3-ટાયર કોચ અને બે જનરલ સેકન્ડ ક્લાસ કોચ સાથે વધારવામાં આવશે. આ વધારાના કોચ તા. 13મી જુલાઈથી જામનગર અને તા. 10મી જુલાઈથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સાથે જોડવામાં આવશે.

 ટ્રેન નંબર 12471, 12473, 12475 અને 12477 માટે AC ફર્સ્ટ ક્લાસનું બુકિંગ તા. 20 માર્ચથી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે, એમ પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે કહ્યું હતું.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!