Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વિદ્યાર્થીઓને રાહત : બોર્ડ પરીક્ષા સમયે ગરમી ૪૦થી ઓછી રહેશે

On: March 18, 2022 5:23 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,ગુરુવાર

બોર્ડના ૧૫ લાખથી
વધુ પરીક્ષાર્થીઓ માટે રાહત આપતી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી
૨૮ માર્ચથી ૧૨ એપ્રિલ દરમિયાન ધોરણ-૧૦, ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષા છે ત્યારે ગરમીનો પારો
૪૦ ડિગ્રીથી નીચે રહી શકે છે. આમ, હાલની સરખામણીએ ગરમીમાં આંશિક રાહત રહેશે.

સામાન્ય રીતે
માર્ચના પ્રથમ-બીજા સપ્તાહ સુધીમાં બોર્ડની પરીક્ષા લેવામાં આવતી હોય છે. આ વખતે બોર્ડની
પરીક્ષા સામાન્ય કરતાં મોડી હોવાથી વધુ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે તેવી પરીક્ષાર્થીઓ
અને તેમના વાલીઓને ચિંતા સતાવી રહી હતી. હવામાન અંગે આગાહી  કરતી ખાનગી સંસ્થાના મતે ૨૮ થી ૩૦ માર્ચ દરમિયાન
ગરમીનો પારો ૪૦ની આસપાસ રહી શકે છે. જોકે, ત્યારબાદ ૧૦ એપ્રિલ સુધી તાપમાન ૪૦થી નીચું
રહેવાની આગાહી છે. આમ, હાલની સ્થિતિ જોતાં બોર્ડની મોટાભાગની પરીક્ષા વખતે ગરમીમાં
આંશિક ઘટાડો રહેશે.

અલબત્ત, આગામી
૩ દિવસ યલો એલર્ટ યથાવત્ રહેશે. હવામાન વિભાગના મતે આવતીકાલે કચ્છ-રાજકોટમાં ઓરેન્જ
જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ,
વડોદરા, અમરેલી, પોરબંદર, જૂનાહઢ, ગીર સોમાનાથ, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ રહેશે. શનિવારે
કચ્છ, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા,
આણંદ, વડોદરા, અમરેલી, પોરબંદર, જૂનાહઢ, ગીર સોમાનાથ, સુરેન્દ્રનગરમાં કાળઝાળ ગરમીની
સંભાવના છે. દરમિયાન આજે કંડલા એરપોર્ટમાં ૪૨ ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!