[ad_1]

-ઘણા
સમયથી પાયમાલ રત્નકલાકારો માટે સરકારે 1000 કરોડનું આર્થિક પેકેજ જાહેર કરવું જોઈએ
સુરત
હીરાઉદ્યોગ
સાથે સંકળાયેલા કારીગરોને,
ખાસ કરીને રુ. 9 હજાર અને રુ 12 હજાર સુધીના પગારદારોને બજેટથી કશો ફાયદો મળવાનો નથી. સરકારે વ્યવસાય
વેરા બાબતે લાખો કામદારોની આશા ઉપર પાણી ફેરવી દીધુ છે.
ગુજરાત
સરકારે વર્ષ 2022-23ના અંદાજપત્રમાં હીરાઉધોગના રત્નકલાકારોની ફરીવાર અવગણના કરી છે, એમ ડાયમંડ વર્કર યુનીયન ગુજરાતે જણાવ્યું છે.હીરાઉધોગના રત્નકલાકારો
પાસેથી વસુલાતા વ્યવસાય વેરો-પ્રોફેશનલ ટેક્ષ નાબૂદ કરવામાં આવે, એ બાબતે સરકારે એવો નિર્ણય જાહેર કર્યો છે કે, 6000થી
8999 સુધીનો તથા 9000થી 11999 સુધીનો પગાર મેળવતા લોકો પાસેથી વ્યવસાય વેરો લેવામા નહીં આવે. પરંતુ તે
નિર્ણયથી કોઈ જ ફાયદો થવાનો નથી
બીજી
માગણી હતી કે છેલ્લાં ઘણા સમયથી પાયમાલ થયેલાં રત્નકલાકારો માટે સરકારે 1000 કરોડનું આથક પેકેજ
જાહેર કરવું જોઈએ અને રત્નદીપ કૌશલ્ય વર્ધક યોજના જાહેર કરવી જોઈએ. પરંતુ સરકારે
રત્નકલાકારોની વાજબી માગણીઓ ઉપર ધ્યાન આપેલ નથી.
[ad_2]
Source link






