રાજપૂત સમાજના રીક્ષાવાળા સાથે પેસેન્જર ભરવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં રાજપૂત ટ્રાવેલ્સ સંચાલકની ઓફિસમાં ઘુસી રોકડા રૂ.13 હજારની લૂંટ કરી

On: March 2, 2022 6:33 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– તારા શેઠ ક્યાં છે કહી ગાળાગાળી કરી મહેતાજીને માર મારી રોકડ લૂંટી રીક્ષામાં બેસી ભાગતી વેળા ધમકી આપી-તારા શેઠને સમજાવી દેજે નહીં તો જાનથી મારી નાંખીશું

( પ્રતિનિધિ દ્વારા ) સુરત, બુધવાર

રાજપૂત સમાજના રીક્ષાવાળા સાથે પેસેન્જર ભરવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં બધેલ સમાજના ચાર રીક્ષાચાલકે સુરતના કાપોદ્રા નાના વરાછા પાસે સૌરાષ્ટ્રનગર સોસાયટીના નાકે આવેલી રાજપૂત સમાજના વૃદ્ધની ટ્રાવેલ્સની ઓફિસમાં ગત બપોરે ઘુસી રોકડા રૂ.13 હજારની લૂંટ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને સુરતના કાપોદ્રા નાના વરાછા ઢાળ પાસે નવદુર્ગા સોસાયટી ઘર નં.6 માં રહેતા 59 વર્ષીય હવલદરસીંગ શેરસીંગ રાજપુત કાપોદ્રા નાના વરાછા પાસે સૌરાષ્ટ્રનગર સોસાયટીના નાકે સીંગ ટ્રાવેલ્સના નામે ઓફિસ ધરાવે છે. તેમની ઓફિસમાં રોજીંદા કામ માટે રાજવીર દિનાનાથસીંગ રાજપૂત નોકરી કરે છે. રાજવીર ગત બપોરે દોઢ વાગ્યે ઓફિસે હાજર હતા ત્યારે ચાર રીક્ષામાં આશારામ બઘેલ, રામલખન, તેનો ભાઇ અને ઉદલ બઘેલ ત્યાં આવ્યા હતા. ચારેયે તારા શેઠ ક્યાં છે કહી ગાળાગાળી કરી મહેતાજી રાજવીરને માર મારી ટેબલના ડ્રોઅરમાં રાખેલા બુકીંગના રોકડા રૂ.12 થી 13 હજાર લૂંટી લીધા હતા અને તારા શેઠને સમજાવી દેજે નહીં તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી રીક્ષામાં બેસી ભાગી ગયા હતા.

વતનના બધેલ સમાજના ચારેય સાથે રાજપૂત સમાજના હવલદરસીંગના સમાજના રીક્ષાવાળાઓનો સુરત રેલવે સ્ટેશન પાસે પેસેન્જર ભરવા બાબતે ઝઘડો થયો હતો. તેની અદાવતમાં ગતરોજ ચારેયે લૂંટ કરી હોવાની ફરિયાદ હવલદરસીંગે મોડીસાંજે કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાવી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!