Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

જૂનાગઢઃ બે વર્ષ બાદ આજથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ, બસોની સંખ્યા વધારાઈ

On: February 25, 2022 10:09 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જૂનાગઢ, તા. 25 ફેબ્રુઆરી, 2022

જૂનાગઢમાં આજથી મહાશિવરાત્રીના 5 દિવસ સુધી ચાલનારા મેળાનો પ્રારંભ થયો છે. જૂનાગઢમાં 2 વર્ષ બાદ મહાશિવરાત્રીનો મેળો યોજાઈ રહ્યો છે ત્યારે સાધુ-સંતો સહિત મોટી સંખ્યામાં શિવભક્તો મેળામાં હાજર રહે તેવી શક્યતા છે. આ કારણે વહીવટી તંત્ર ઉપરાંત પોલીસ તંત્ર પણ સજ્જ થઈ ગયું છે અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે બસની સંખ્યા પણ વધારવામાં આવી છે. 

જૂનાગઢમાં 2 વર્ષ બાદ મહાશિવરાત્રીનો મેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે તેવી શક્યતા છે. શ્રદ્ધાળુઓને જૂનાગઢ બસ સ્ટોપથી ભવનાથ સુધી લાવવા, લઈ જવા માટે 50 મિની બસ મુકવામાં આવી છે જેનું 20 રૂપિયા જેટલું ભાડું રાખવામાં આવ્યું છે. ઉપરાંત મેળાને લઈ રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, ખંભાળિયા, જામ જોધપુર, પોરબંદર, સોમનાથ, ઉના, મહુવા અને ભાવનગર સહિતના શહેરોમાંથી જૂનાગઢ માટે 300થી પણ વધારે બસો દોડશે. 

મેળા દરમિયાન ભક્તોનો ભારે ધસારો રહેતો હોવાથી પાકીટમાર અને ચોર લોકો તેનો ખૂબ ફાયદો ઉઠાવતા હોય છે જેથી આ વર્ષે આવી કોઈ ઘટના ન બને તે માટે પોલીસની બાજનજર રહેશે. મેળામાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, હોમગાર્ડ, જીઆરડી જવાન વગેરે મળીને અંદાજે 2800 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!