Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરના પિઝા રેસ્ટોરન્ટમાંથી ત્રણ લાખની ચોરી કરીને ભાગી છુટેલી ત્રિપુટી બિહારથી ઝડપાઈ

On: February 17, 2022 5:29 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 17

જામનગરમાં અંબર સિનેમા રોડ પર આવેલા એક પીઝા રેસ્ટોરન્ટમાંથી ગત 25મી ડિસેમ્બરે રૂપિયા ત્રણ લાખ સાત હજારની રોકડ રકમની ચોરી થઈ હતી, જે ચોરી રેસ્ટોરન્ટમાં જ કામ કરતા ત્રણ વેઇટરોએ કરી હોવાનું સામે આવ્યું હતું, અને પોતાના વતનમાં ભાગી છૂટયા હતા. જે આરોપીઓનો જામનગર પોલીસે પીછો કરીને બિહારથી ત્રણેય તસ્કરોને ઉપાડી લીધા છે, અને જામનગર લઈ આવ્યા પછી વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ ચોરી અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં અંબર સિનેમા રોડ પરની નિયો સ્કવેર કોમ્પલેક્ષમાં આવેલી વિલિયમ જોન્સ પિઝા રેસ્ટોરન્ટ માંથી ૨૫મી ડિસેમ્બરના રાત્રિના સમયે ટેબલ(કાઉન્ટર)નું લોક તોડી અંદરથી રૂપિયા 3.7 લાખની ચોરી થઇ ગઇ હતી. જે ચોરીના બનાવ અંગે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા પછી સીસીટીવી કેમેરાના આધારે હોટલમાં જ વેઈટર તરીકે કામ કરતા ૩ પરપ્રાંતીય શખ્સોનું કારસ્તાન હોવાનું અને તેઓ ચોરી કરીને પોતાના વતનમાં ભાગી છૂટયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

જેથી સીટી બી ડિવિઝન પોલીસે તપાસનો દોર બિહાર સુધી લંબાવ્યો હતો. જ્યાં બે વખત ધક્કા ખાધા પછી આખરે ત્રિપુટીને ઝડપી લીધી છે. જામનગરમાં પીઝાના રેસ્ટોરન્ટમાં જ વેઈટર તરીકે કામ કરતા સુમિત મંડલ, અરવિંદ મંડલ અને રાજેશ મંડલ, કે જે ત્રણેયને જુદા જુદા વિસ્તારોમાં તેના રહેણાંક મકાનમાંથી ઉપાડી લીધા હતા, અને તેઓ પાસેથી રૂપિયા નવ હજારની રોકડ રકમ કબજે કરી લઈ જામનગર લઈ આવ્યા છે.

જે ત્રણેય તસ્કરોના કોવિડ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરાતાં તેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જેથી ચોરીના ગુનામાં ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે, અને રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવી રહ્યા છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ત્રણેય તસ્કરોએ રેસ્ટોરન્ટના ટેબલના ખાનામાં રોકડ રકમ રાખવામાં આવતી હોવાથી જે દિવસે વધુ રકમ જમા થઈ હોય તે દિવસે ચોરી કરવાનો પ્લાન કર્યો હતો, અને ૨૫મી ડિસેમ્બર ના રાત્રીના સમયે હોટલ બંધ હતી, ત્યારે સીસીટીવી કેમેરાની સ્વીચ બંધ કરી દઈ ટેબલનો લોક તોડી રોકડ રકમ લઈને વતનમાં ભાગી છૂટયા હતા, અને ત્રણેય તસ્કરોએ માર્ગમાં રોકડ રકમ ના ત્રણ ભાગ પાડી લીધા હતા, અને પોતાના ઘેર પહોંચ્યા હતા.

જ્યાં પોતે ચોરી કરીને આવ્યા હોવાની પરિવારને જાણ પણ કરી ન હતી. જામનગર પોલીસ તેના ઘેર પહોંચી હતી, ત્યારે પરિવારજનો ચોરીની વાત સાંભળીને અચંબામાં પડી ગયા હતા. સીટી બી. ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!