Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરમાં લાલપુર બાયપાસ ચોકડી ઉપર ઓવરબ્રીજ બનાવવા ચેમ્બર ઓફ કોમર્સની રજુઆત

On: February 17, 2022 5:07 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર,  તા. 17

જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા લાલપુર બાયપાસ ચોકડી પર ઓવરબ્રીજ બનાવવા તેમજ લાલપુર ચોકડીથી સમર્પણ સર્કલ સુધીના રોડ પર બન્ને સાઈડમાં સર્વિસ રોડ બનાવવા મ્યુનિ. કમિશનર તથા મેયર ને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

જામનગર શહેરનો મુખ્ય ઉદ્યોગ બ્રાસપાર્ટસ છે. જે જામનગર શહેરના શંકર ટેકરી ઉદ્યોગનગર તથા જી.આઈ.ડી.સી. ફેઈસ-2, ફેઈસ-3માં વધુ કાર્યરત છે. જેમાં અંદાજે 4000 જેટલા નાના-મોટા કારખાનાઓ ફક્ત જી.આઈ.ડી.સી. ફેઈસ-2, ફેઈસ-3માં આવેલા છે. તેમજ નવા નવા ઈન્ડસ્ટ્રીયલ પાર્ક પણ વિકસિત થતા આવે છે. આ તમામ કારખાનાઓમાં અંદાજે એક લાખથી વધુ કામદારો કામ કરતા હશે, જેઓ શહેરના વિવિધ વિસ્તારોમાંથી જી.આઈ.ડી.સી. ફેઈસ-2, ફેઈસ-3માં રોજીરોટી કમાવા આવે છે. 

આ કારખનાઓમાં જવા-આવવા માટે લાલપુર બાયપાસ ચોકડી રોડ ઉપર થઈને જ જવું પડે છે. વધુમાં રાજકોટ તરફથી આવતા અને દ્વારકા તરફ જવા માટે પણ આ એક જ બાયપાસ રોડ લાગુ પડતો હોય છે, જેથી આ રોડ ઉપર સમગ્ર દિવસ દરમિયાન ખૂબ જ ટ્રાફિક રહે છે. જેમાં ખાસ કરીને સવારે કારખાને જવાના તથા સાંજના કારીગરોને છૂટવાના સમયે ખૂબ જ ટ્રાફિક જામ થાય છે, અને અવારનવાર અકસ્માતો થાય છે. અને કામદારોને તેમની અમૂલ્ય જિંદગી ગુમાવવી પડે છે.

આ રોડ ઉપર ઓવરબ્રીજ બનાવવામાં આવે તો રાજકોટ તરફથી આવતો અને દ્વારકા તરફ જતાં મુસાફરોને ઓવરબ્રીજ ઉપર થઈ સીધા દ્વારકા માર્ગ તરફ જઈ શકાય, આથી આ વિસ્તાર (લાલપુર બાયપાસ ચોકડી) પર ટ્રાફિક ઓછો થવાથી જી.આઈ.ડી.સી. ફેઈસ-2, ફેઈસ-3માં કામ કરવા જતાં કામદારો સહેલાઈથી આ રોડ પરથી અવર-જવર કરી શકશે, અને તેઓના જાનમાલની સલામતી જળવાઈ રહેશે.

વધુમાં લાલપુર બાયપાસ ચોકડીથી સમર્પણ જતા રોડ ઉપર કામદારો દરરોજ આ રસ્તા ઉપરથી પસાર થતા હોય છે, તેમજ આ રોડ ઉપર એક પુલ પણ આવેલ છે. આથી કામદારોને રોડ ક્રોસ કરવા સમયે ઘણી વખત અકસ્માતો થાય છે. આથી આ રોડની બન્ને સાઈડમાં સર્વિસ રોડ અતિ આવશ્યક છે. જેથી અકસ્માતો ઘટશે, અને ટ્રાફિક પણ મહદ્અંશે ઓછો રહેશે. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!