[ad_1]

જામનગર તા. 14
જામનગરની જે.સી.આઈ. સંસ્થા દ્વારા શહેરની એક ખાનગી સ્કૂલમાં 14 ફેબ્રુઆરી 2019ના દિને પુલવામામાં થયેલા આતંકી હુમલામાં દેશના શહીદ થયેલા 44 જવાનોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

સમગ્ર દેશ-દુનિયામાં 14મી ફેબ્રુઆરીએ લોકો વેલેન્ટાઇન ડેની ઉજવણી ઉજવણી કરી રહ્યા છે, ત્યારે 14.2.2019ના દિવસે જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં આતંકી હુમલો થયો હતો. જેમાં ભારતના 44 વીરજવાનો શહીદ થયા હતા, જેઓને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવા માટે જામનગરની જે.સી.આઈ. સંસ્થા તેમજ એપલ ઇન્ટરનેશનલ સ્કૂલ ના સંયુક્ત ઉપક્રમે 44 જવાનોની તસવીર સાથેના પોસ્ટર નજીક દીપ પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, અને આ કાર્યક્રમમાં સંસ્થાના આગેવાનો, શાળાના શિક્ષકો, તેમજ વિદ્યાર્થીઓ જોડાયા હતા.
[ad_2]
Source link






