Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ ડૂબેલા નાણા વસૂલવામાં કટકી કરતાં હોવાનો ધારાસભ્યનો આક્ષેપ

On: February 5, 2022 9:57 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખેલા પત્રથી ખળભળાટ

રાજકોટ, તા. 05 ફેબ્રુઆરી, 2022, શનિવાર

રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ લોકોના ડૂબેલા નાણા કટકી લઈને વસૂલી આપતા હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે જેમના સામે આક્ષેપ થયા છે તે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પોતે જ પ્રેસ કોન્ફરન્સમાં જેમના સામે આક્ષેપ થયા છે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. પોતાને પત્રકારો દ્વારા જ આવા પત્રની જાણ થઈ છે તેમ જણાવ્યું હતું. આ સાથે જ એવો સવાલ પણ કરવામાં આવ્યો હતો કે, રાજકોટમાં ઝીરો ક્રાઈમ રેટ પાછળ પોલીસ ખાતા દ્વારા આ પ્રકારે ફરિયાદ ન નોંધવાની રીત જવાબદાર છે કે કેમ.

એક કિસ્સામાં તેમણે કુલ 15 કરોડની ઠગાઈનો ભોગ બનેલા વ્યક્તિની એફઆઈઆર ન નોંધીને ઉઘરાણીનો હવાલો રાખ્યો હતો અને જે ઉઘરાણી પાછી આવે તેમાંથી 15 ટકા હિસ્સો લીધો હતો. 

તેમણે પોતાના પીઆઈ મારફતે 75 લાખ રૂપિયા જેટલી રકમ ઉઘરાવી લીધા બાદ વધુ 30 લાખ રૂપિયાની ઉઘરાણી માટે પીઆઈ દ્વારા ફોન કરાવ્યા હતા. આ અંગે રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો હતો જેને લઈ ભારે ખળભળાટ મચ્યો છે. 

પત્રમાં લખ્યું છે કે, આશરે 8 મહિના પહેલા રાજકોટના મહેશભાઈ સખીયા સાથે 15 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ કેસમાં એફઆઈઆર દાખલ કરવાના બદલે ઉઘરાણીના 15 ટકા હિસ્સો માગીને રકમ પરત મેળવી આપવાની ખાતરી આપવામાં આવી હતી. તે પ્રમાણે કાર્યવાહી કરીને ક્રાઈમ બ્રાન્ચે આશરે 7 કરોડ રૂપિયા જેટલી વસૂલાત કરી આપી હતી અને કમિશ્નરે પોતાના પીઆઈ મારફતે 75 લાખ રૂપિયા કમિશન પેટે મગાવી લીધા હતા. આ ઉપરાંત પીઆઈ દ્વારા 30 લાખ રૂપિયાની ઉઘરાણી માટે ફોન કરવામાં આવી રહ્યા હતા. 

આ સમગ્ર મામલે ફરિયાદ બાદ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી પરંતુ ત્યાર બાદ 8 કરોડની ઉઘરાણીમાંથી કશું પણ પરત નહોતું આવ્યું અને પત્રમાં કમિશન પેટે ઉઘરાવવામાં આવેલી 75 લાખની રકમ પાછી અપાવવા વિનંતી કરવામાં આવી હતી. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!