બે દિવસના ઘટાડા પછી કોરોનાના કેસમાં ૫૪૭ નો વધારો : નવા ૩,૮૦૨ કેસ નોંધાયા

On: January 26, 2022 9:38 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા,બે દિવસના ઘટાડા પછી આજે ફરીથી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે.ચોવીસ કલાક દરમિયાન આરોગ્ય વિભાગની ટીમે ગઇકાલ કરતા ૮૫ ઓછા  ટેસ્ટિંગ કર્યા હતા.કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા બાવીસ હજાર અને ક્વોરન્ટાઇન દર્દીની સંખ્યા ૧૫ હજારને પાર થઇ ગઇ છે.

કોરોનાના વધતા જતા કેસને ધ્યાને લઇને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રોજ અલગ અલગ વિસ્તારમાંથી સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.આજે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાણીગેટ,સવાદ,આજવારોડ,મકરપુરા,હરણી, એકતાનગર,વડસર,રામદેવનગર,શીયાબાગ, તરસાલી,કપુરાઇ,નવાપુરા,યમુનામીલ,મકરપુરા, માણેજા,સમા,અકોટા,ગોત્રી,ફતેપુરા અને દીવાળીપુરા વિસ્તારમાંથી કુલ ૧૨,૪૧૫ લોકોના સેમ્પલ કોરોનાના ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા.જે પૈકી ૩,૮૦૨ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જ્યારે સારવાર લેતા ૧,૪૫૭ દર્દીઓની તબિયત સુધરતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.શહેરમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા ૨૨,૨૫૩ છે.જે સંખ્યા ગઇકાલે ૧૯,૯૧૦ હતી.આજે  ૨૧,૭૨૧ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે.હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ૫૩૨ છે.જ્યારે ગઇકાલે દાખલ દર્દીઓ ૫૩૮ હતા.વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા ૨૯ છે.આઇ.સી.યુ.માં દાખલ દર્દીઓ ૭૨ છે.જે સંખ્યા ગઇકાલે ૭૫  હતી.જ્યારે ઓક્સિજનના સપોર્ટ  પરના દર્દીઓની સંખ્યા આજે ૪૩૧ છે.જે ગઇકાલે ૪૩૪ હતી.ગઇકાલે હોમ આઇસોલેશનના  દર્દીઓની સંખ્યા ૧૩,૦૨૦ હતી.જે આજે વધીને ૧૫,૨૦૮ થઇ  ગઇ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

ક્યાં એક તરફ મોંઘી દાટ મર્સીડીઝ કાર માં નીકળતી વર યાત્રા ને ક્યાં સંસ્કૃતિ ને બચાવવાં માટે નીકળતી બળદ ગાડાં માં નીકળેલી જાન.નો ઠાઠ..

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર આસપાસની નદીઓમાં બેફામ રેતી ખનન સામે કાર્યવાહી, માત્ર ચાર ટ્રક જપ્ત થતા અનેક સવાલો

error: Content is protected !!