વિજયનગરમાં 7 અને ઈડર-પોશીના 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું

On: January 26, 2022 2:54 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

હિંમતનગર,
તા. 25

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો શીતલહેરની ઝપેટમાં આવ્યો છે. વિજયનગર
૭ ડિગ્રી સૌથી વધુ ઠંડો વિસ્તાર રહેતાં રાત્રે લગ્નમાં ગયેલા લોકો ઠંડીમાં ઠૂઠવાતા
જોવા મળ્યા જેના કારણે  તાપણાં કરવા પડે તેવી
સ્થિતિ જોવા મળી છે. આગામી ૪ દિવસ ઠંડીનું જોર હાવિ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી
કરી છે.

કમોસમી માવઠા પછી વાદળો વિખેરાયા અને કડકડતી ઠંડીનો નવા વર્ષનો
બીજો ડોઝ પ્રજા માટે અસહ્ય થઈ પડયો છે. રવી ખેતી માટે ઠંડીનો આકરો ડોઝ ફાયદારુપ સાબિત
થવાનો છે પરંતુ ગરમી પછી એકાએક ઠંડીનો પ્રકોપ વધતાં મિશ્ર ઋતુના કારણે વાયરલ દર્દીઓની
સંખ્યામાં વધારો થવાની દહેશત છે.

ગત રોજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં લઘુત્તમ તાપમાનનો પારો ૬
ડિગ્રીએ પહોંચતાં પ્રજા ફફડી ઉઠી હતી.

આજ રીતે ઠંડીનું મોજુ લાંબો સમય હાવિ રહે તો મૂંગા પશુ-પક્ષીઓ
માટે જીવનું જોખમ ઉભું થઈ શકે છે.

આગામી ૭ર કલાક દરમ્યાન સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં
ઠંડીનો પ્રકોપ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે.

ગાત્રો થીજવતી ઠંડી,
દૂધ ઉત્પાદન ઘટયું

જિલ્લામાં છેલ્લા ૩ દિવસથી ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે જેના
કારણે પાણીનો વપરાશ ઘટયો અને મૂંગા પશુઓની દૂધ ઉત્પાદન શક્તિને ફટકો પડયો છે. જિલ્લાની
સાબરડેરી સંલગ્ન દૂધ મંડળીઓ તેમજ ખાનગી ડેરીઓમાં દૈનિક આવક કરતાં દૂધ ઉત્પાદન ઘટયાનું
સ્થાનિકોએ જણાવ્યું છે. પશુપાલકોએ ઠંડીથી મૂંગા પશુઓને રાહત આપવા માટે અવનવા ઉપાય શરૂ
કર્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

ક્યાં એક તરફ મોંઘી દાટ મર્સીડીઝ કાર માં નીકળતી વર યાત્રા ને ક્યાં સંસ્કૃતિ ને બચાવવાં માટે નીકળતી બળદ ગાડાં માં નીકળેલી જાન.નો ઠાઠ..

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર આસપાસની નદીઓમાં બેફામ રેતી ખનન સામે કાર્યવાહી, માત્ર ચાર ટ્રક જપ્ત થતા અનેક સવાલો

error: Content is protected !!