Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ગુજરાતમાં ૧૧ કેન્દ્રો પર ૨૮૯૦૦ ઉમેદવારોએ જીસેટ પરીક્ષા આપી

On: January 23, 2022 8:30 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરાઃ કોલેજો તેમજ યુનિવર્સિટીઓમાં અધ્યાપકની ભરતી માટે જરુરી જીસેટ(ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ)પરીક્ષા આજે ગુજરાતમાં વડોદરા સહિતના ૧૧ કેન્દ્રો પર લેવામાં આવી હતી.

કોરોના કાળમાં આજે લેવાયેલી પરીક્ષામાં કુલ ૨૮૯૦૦ વિદ્યાર્થીઓની હાજરી નોંધાઈ હતી.આમ પરીક્ષા માટે ફોર્મ ભરનારા ૪૦૫૦૬ ઉમેદવારો પૈકી ૭૧ ટકા ઉમેદવારોએ આજે આ પરીક્ષા આપી હતી.૧૧૬૦૬ ઉમેદવારો ગેરહાજર નોંધાયા હતા.વિવિધ ૨૫ વિષય માટે આ પરીક્ષા લેવામાં આવી હતી.

એમ.એસ.યુનિવર્સિટી જીસેટ પરીક્ષાનુ સંચાલન કરે છે.પેપર સેટ કરવાથી માંડીને પરીક્ષા લેવાની અને પરિણામ જાહેર કરવાની કામગીરી એમ.એસ.યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે.સૂત્રોનુ કહેવુ છે કે, છેલ્લે ૨૦૧૯માં આ પરીક્ષા લેવામાં આવી ત્યારે ૨૫૪૦૦ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.આ વખતે ૨૮૯૦૦ ઉમેદવારો પરીક્ષામાં બેઠા હતા.

આ પૈકી વડોદરા સેન્ટર પર ૩૮૭૭ વિદ્યાર્થીઓમાંથી ૨૫૩૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે હાજર રહેતા વડોદરા કેન્દ્ર પર ૬૫ .૨૬ ટકા હાજરી નોંધાઈ હતી.૧૧ કેન્દ્રો પૈકી સૌથી વધારે ૭૯.૧૧ ટકા હાજરી વલ્લભ વિદ્યાનગરમાં નોંધાઈ હતી.

અધ્યાપક તરીકે ભરતી માટેની લાયકાતમાં નેટ પરીક્ષાની સાથે સાથે જીસેટ પરીક્ષા પાસ કરી હોય તો તેને પણ માન્ય રાખવામાં  આવે છે.ગુજરાત સ્તરે આ પરીક્ષા લેવાતી હોવાથી તે આપનારા ઉમેદવારોની સંખ્યા વધી રહી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!