[ad_1]

જામનગર તા. 23
જામનગરની એક કો. ઓપરેટીવ સોસાયટી પાસેથી લોન મેળવ્યા પછી તેની પરત ચૂકવણી માટે આપવા માં આવેલ ચેક પરત ફરતાં અદાલતમાં ફરીયાદ કરાઈ હતી. જે કેસમાં અદાલતે આરોપીને 6 મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ભરપાઈ કરવા આદેશ કર્યો છે.
જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો.ઓપ. સોસાયટી પાસેથી હસમુખભાઈ જીવણભાઈ કોરીયા એ લોન મેળવી હતી. તે લોનની ભરપાઈ કરવા માટે રૂ. 63,450ની રકમનો ચેક આપવામાં આવ્યો હતો. તે ચેક નાણાના અભાવે બેંકમાંથી પરત ફરતા સોસાયટી દ્વારા અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી.
જે કેસ ચાલી જતાં અદાલતે આરોપી હસમુખભાઈ કોરીયાને તકસીરવાન ઠરાવી 6 મહિનાની કેદની સજા તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યો છે. દંડ ભરવામાં ન આવે તો વધુ એક મહિનાની કેદની સજા ભોગવવા આદેશ થયો છે.
[ad_2]
Source link






