કોરોનાના પગલે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ, પીએમ મોદી કરવાના હતા ઉદઘાટન

On: January 6, 2022 6:48 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

નવી દિલ્હી,તા. 6 જાન્યુઆરી, 2022

કોરોનાના રોકેટ ઝડપે વધી રહેલા કેસના પગલે હવે ગુજરાત સરકારે 10 થી 12 જા્ન્યુઆરી દરમિયાન યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ રાખવાની જાહેરાત ગુજરાત સરકારે કરી છે.

મળતી વિગતો પ્રમાણે કોરોનાના કેસમાં આવી રહેલા ઉછાળાના પગલે ગુજરાત સરકાર પર આ સમિટ મોકૂફ રાખવા માટે દબાણ વધી રહ્યુ હતુ.આ સમિટમાં અન્ય દેશોના મહાનુભાવોના હાજર રહેવા પર પણ સવાલ ઉભો થયો હતો.

સમિટિમાં પાંચ દેશો રશિયા, સ્લોવેનિયા, નેપાળ સહિતના પાંચ દેશોના વડાપ્રધાન, 15 દેશોના વિદેશ મંત્રીઓ   હાજર રહેવાના હતા.26 પાર્ટનર દેશના પ્રતિનિધિઓ પણ હાજરી આપવાના હતા.ચાર દેશોના ગર્વનર પણ તેમાં હાજરી આપવાના હતા.પીએમ મોદી દ્વારા સમિટનુ ઉદઘાટન થવાનુ હતુ.

હવે વાઈબ્રન્ટ ગુજરાતની સાથે સાથે યોજાનાર ફ્લાવર શો પણ કેન્સલ કરવામાં આવે તેવી શક્યતા છે.

દરમિયાન કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે, સરકારે બહુ મોડો નિર્ણય લીધો છે અને કરોડો રુપિયાનુ પહેલા જ આંધણ થઈ ગયુ છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!