Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા: સીઆરપીએફ જવાને પત્નીને મોબાઈલ ફોન ઉપર તલાક આપી દીધા

On: December 29, 2021 11:53 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 29 

આસામ ખાતે સીઆરપીએફમાં ફરજ બજાવતા જવાને મોબાઈલ ફોન ઉપર વાતચીત દરમિયાન પત્ની સાથે ઝઘડો કરી ત્રણ વાર તલાક બોલી છૂટાછેડા આપી દેતા પરિણીતાએ સાસુ અને પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વડોદરાના છાણી વિસ્તારમાં રહેતી 36 વર્ષીય મહિલા શેહનાઝબાનું ( નામ બદલ્યું છે) ના લગ્ન વર્ષ 2૦1૦ દરમિયાન મુસ્લિમ સમાજના રીતરિવાજ મુજબ આસિફખાન પઠાણ સાથે થયા હતા. તેમના પતિ છેલ્લા 15 વર્ષથી આસામ ખાતે સીઆરપીએફ પોલીસ ફોર્સમાં ફરજ બજાવે છે. અને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર,  લગ્નના બે મહિના બાદ પતિ તથા સાસુની શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિ ફરજ પરથી રજા લઈ ઘરે આવે ત્યારે  મારઝૂડ કરતો હતો. જેથી કંટાળી પોલીસ ફરિયાદ કરતા પતિએ સોગંદનામામાં ખાતરી આપી હતી કે, હવે પછી શારીરિક અને માનસિક ત્રાસ નહીં આપીએ. સુખ દુઃખના પ્રસંગમાં જવા પતિ માથાકૂટ કરતો હતો . નવેમ્બર મહિના દરમિયાન લગ્ન પ્રસંગમાં ગયા બાદ પુત્રની તબિયત લથડતા માતા-પિતાના ઘરે પરિણીતા રોકાઈ હતી. તે સમયે મોબાઈલ ફોન ઉપર પતિએ ઝઘડો કરી ત્રણ વખત તલાક બોલી છૂટાછેડા આપી દીધા હતા. તેવી ફરિયાદના આધારે પોલીસે આસિફખાન પઠાણ તથા નૂરઅખ્તર પઠાણ ( બંને રહે -કુમાર ચાલ, જુના છાણી રોડ) વિરુદ્ધ  મુસ્લિમ મહિલા અધિનિયમ તથા સ્ત્રી અત્યાચાર અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!