Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા: ફાયર સેફ્ટી અંગે બેદરકારી દાખવતુ પ્રોફિટ સેન્ટર બિલ્ડીંગ સીલ

On: December 18, 2021 3:35 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 18 ડિસેમ્બર,

વડોદરા શહેરમાં ફાયર સેફ્ટી અંગે બેદરકારી દાખવતી ઇમારતને પાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાલિકાને લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને કરવામાં આવતી કામગીરીની સરાહના કરવામાં આવી રહી છે. દરમિયાન આજરોજ ફાયર બ્રિગેડએ સયાજીગંજ વિસ્તારમાં આવેલા પ્રોફિટ સેન્ટ્રલ બીલ્ડીંગને ફાયર સેફટી મુદ્દે સીલ મારવાની કામગીરી હાથ ધરી  હતી. અત્રે નોંધનીય છે કે પ્રોફિટ સેન્ટર બિલ્ડિંગને  છ મહિનાની સમય મર્યાદા આપ્યા બાદ ફાયર સેફટી અંગે નિષ્કાળજી દાખવતાં  આખરે સીલ માર્યું છે.

ગુજરાતમાં થોડા સમય પહેલા કોરોના હોસ્પિટલો, ટ્યુશન ક્લાસ તેમજ બહુમાળી ઇમારતોમાં ભીષણ આગના બનાવોને કારણે અનેક વ્યક્તિના જીવ ગયા છે. ત્યારબાદ આવી ઘટનાઓ રોકવા માટે હાઈકોર્ટે ફાયર સેફટીના કડક અમલ અંગે રાજ્ય સરકારને સૂચના આપી હતી. તે આધારે દરેક શહેરમાં ફાયર સેફટીના નિયમોનો કડક અમલ કરવા રાજ્ય સરકારે પરિપત્ર જારી કર્યો હતો. જેથી વડોદરા ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા બિલ્ડીંગોમાં લોકોની સુરક્ષાને ધ્યાને લઇને ફાયર સેફ્ટીની સંસાધનો અંગેનું ઓડિટ કરવામાં આવે છે. એટલું જ નહિ ફાયર સેફ્ટી ન હોય તેવી સંસ્થાઓને નોટીસ પણ આપવામાં આવે છે. પરંતુ શહેરમાં આવેલી અનેક હોસ્પિટલો દ્વારા વારંવાર નોટીસ મળ્યા બાદ પણ કોઇ કામગીરી નહિ કરતા ડિપાર્ટમેન્ટ દ્વારા સીલ મારવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે. પ્રોફિટ સેન્ટર દ્વારા ફાયર સેફ્ટી મામલે બેદરકારીભર્યું વલણ દાખવતા તંત્રએ લાલ આંખ કરી છે. ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટના માર્ગદર્શનમાં ડિપાર્ટમેન્ટ દ્વારા  લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને સંપૂર્ણ બિલ્ડિંગને સીલ મારવાની કાર્યવાહી આજે હાથ ધરી હતી. અગાઉ બેદરકારી જણાવતા ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા જરૂરી સુવિધા ઉભી કરવા માટે છ મહિનાની સમયમર્યાદા આપવામાં આવી હતી. જોકે તેમ છતાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી ન કરાતાં આજરોજ ફાયર બ્રિગેડ દ્વારા આખેઆખું બિલ્ડીંગ સીલ મારી દીધું હતું. અત્રે નોંધનીય છે કે, વડોદરા શહેરમાં છેલ્લા 20 વર્ષથી બહુમાળી કોમર્શિયલ ઇમારતો જેણે ફાયર સેફ્ટીની એનોસી મેળવી જ નથી તેવી ઈમારતોના સંચાલકો સામે કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે. સીલ મારવાની કામગીરી શરૂ કારી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!