[ad_1]

વડોદરા, તા. 06 ડિસેમ્બર 2021 સોમવાર
વડોદરાના ગોરવા વિસ્તારમાં દશામાના મંદિર નજીક ફરી એક વખત પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતાં હજારો લીટર પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થયો હતો.
વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 8માં સમાવિષ્ટ ગોરવા વિસ્તારમાં દશામાના મંદિર નજીક એક જ સ્થળે અવાર નવાર પાણીની લાઈનમાં ભંગાણ થતાં ચર્ચાનો વિષય બન્યો છે.
વડોદરા મહાનગર પાલિકાના પાણી બચાવોના અભિયાન સામે છાશવારે સર્જાતા પાણીની લાઈનોમાં ભંગાણ હજારો ગેલન પાણીનો વેડફાટ કરી રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે, વડોદરાના પ્રથમ નાગરિક મેયર કેયુરભાઈ રોકડિયા આ વોર્ડ માંથી ચૂંટાઈ આવ્યા છે.
વારંવાર આ જગ્યાએ સર્જાતા ભંગાણના પગલે પીવાનું શુદ્ધ પાણી તળાવ તથા કાંસમાં વહી જાય છે. ફરી વખત હવે જ્યારે ભંગાણ સર્જાયું છે ત્યારે શુદ્ધ પાણીના વેડફાટ સાથે વિસ્તારમાં કાદવ કીચડ ઉદભવતા કારને નુકશાની પહોંચી હતી.
[ad_2]
Source link






