Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

પાંડેસરામાં દંપતીની સડેલી હાલતમાં લાશ મળવાની ઘટના: પત્નીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પતિએ ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો

On: December 1, 2021 5:30 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– પ્રેમલગ્ન કર્યા હતા અને મહિના અગાઉ સુરત આવ્યા હતાઃ પત્નીને ગાવાનો શોખ હતો પરંતુ પતિને પસંદ ન હોવાથી આ મુદ્દે ઝઘડો થયાની શંકા

સુરત
પાંડેસરાના જય અંબે નગરમાં બંધ ઘરમાંથી દંપતીની સડી ગયેલી હાલતમાં લાશ મળી આવવાની ઘટનામાં પત્નીનું ગળું દબાવતા મોત થયાનું પોસ્ટમોર્ટમમાં બહાર આવતા પોલીસે પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ આપઘાત કરનાર પતિ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. જો કે હજી સુધી હત્યા અને આત્મહત્યા પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી.
પાંડેસરાના જય અંબે નગરના પ્લોટ નં. 368 ના બીજા માળે રૂમ નં. 11 માંથી દુર્ગંધ આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. મેઇન દરવાજાને અંદરથી લોક માર્યુ હોવાથી પોલીસે દરવાજો તોડી અંદર પ્રવેશી તપાસ કરતા એક મહિના અગાઉ વતન બિહારથી સુરત આવનાર રંજીતકુમાર સુરેન્દ્ર શાહ (ઉ.વ. 26) અને તેની પત્ની સુશીલાકુમારી (ઉ.વ. 25) ની લાશ મળી આવી હતી. બંનેના પોસ્ટમોર્ટમમાં સુશીલાકુમારીનું મોત ગળા પર દબાણ આવવાથી થયું હોવાનું જયારે રંજીતે ફાંસો ખાઇ આપઘાત કર્યાનું જણાવ્યું હતું. જેથી પોલીસે પત્ની સુશીલાને મોતને ઘાટ ઉતારનાર રંજીત વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. ઉલ્લેખનીય છે કે પ્રેમલગ્ન કરનાર રંજીત અન સુશીલા એક મહિના અગાઉ વતન બિહારથી સુરત આવ્યા હતા.

રંજીત ફર્નિચર કામ કરતો હતો જયારે સુશીલા ગૃહિણી હતી. પ્રેમલગ્ન કર્યા બાદ એક મહિના અગાઉ સુરત આવેલા રંજીતે કયા કારણોસર સુશીલાની હત્યા કરી તે અંગેનું રહસ્ય ઘેરાય રહ્યું છે. જો કે પોલીસ તપાસમાં સુશીલાને ગીત ગાવાનો શોખ હતો અને રંજીતને તે પસંદ ન હતું. જેથી સંભવત આ મુદ્દે ઝઘડો થતા હત્યા કર્યાની આશંકા છે. જો કે બંનેના પરિજનો આવતી કાલે સુરત આવ્યા બાદ હત્યાનું કારણ સ્પષ્ટ થશે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!