[ad_1]

વડોદરા, તા. 19 માર્ચ 2022
સાવલી તાલુકાનાં લાંછનપુર ગામમાં રહેતાં 48 વર્ષના ગણપત ઉદેસિંહ પરમાર હોળીના દિવસે રાત્રે ગામ પાસેથી પસાર થતી મહી નદીમાં નાહવા માટે ગયા હતા અને આકસ્મિક રીતે નદીના વહેણમાં તણાતાં તેઓ ડૂબી ગયા હતા. પરિવારના સભ્યો દ્વારા ગણપત પરમારની શોધખોળ દરમિયાન તેઓની મોડી રાત્રે લાશ નદીના પાણીમાંથી મળી હતી.
[ad_2]
Source link






