Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

આણંદ જિલ્લામાં તળાવ આધારિત નાની સિંચાઇ યોજનાનો અભાવ

On: March 2, 2022 9:22 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– મોટા તળાવોની નહીવત સંખ્યાના લીધે

– કેટલાંક વિસ્તાર મહિકેનાલના કાર્યક્ષેત્રમાં આવતા સિંચાઇ નહેરો ઉપર નિર્ભર

વલ્લભવિદ્યાનગર : આણંદ જિલ્લામાં ખેતીની વિપુલ અને ઉજળી તકો વચ્ચે જિલ્લામાં મોટા તળાવોના અભાવે તળાવ આધારિત નાની સિંચાઇ યોજનાનો અભાવ પ્રવર્તી રહ્યો છે. જિલ્લાનો તમામ વિસ્તાર મહિકેનાલોમાં કાર્યક્ષેત્રમા આવતો હોવાથી ખેડૂતો કૃષિસિઝન મુજબ નહેરોમાંથી પાણી મેળવીને પિયતની જરૂરિયાત પૂર્ણ કરે છે.

જિલ્લાની બે લાખ હેક્ટર ઉપરાંતનો સંભવિત વાવેતર વિસ્તાર ધરાવતી કાળી ગોરાડુ જમીનમાં ખેડૂતો વર્ષમાં ત્રણેય રવિ, ઉનાળુ અને ખરીફ સિઝન મુજબ અનાજ-ખાદ્યાન્ન. તેલિબીયા, કઠોળ, તમાકુ, શાકભાજી, ઘાસચારા, ફુલ, ફળ-ફળાદિ પાકોનુ વાવેતર કરે છે. જોકે જિલ્લામા સિંચાઇ થઇ શકે તેવા વિપુલ જળસંગ્રહ ક્ષમતા ધરાવતા મોટા તળાવોનો અભાવ હોવાથી ખેતીકાર્યો માટે મહિકેનાલો ઉપર નિર્ભર રહેવુ પડે છે. 

નદી ઉપરના કડાણા જળાશયમાંથી વાયા વણાકબોરી વિયર મારફતે ખેતીકાર્યો માટે નહેરોમાં સમયાંતરે પાણી છોડવામા આવતુ હોવાથી ખેડૂતો કૃષિ માટે  પિયતની જરૂરિયાત સંતોષી શકે છે.  ત્યારે બીજી તરફ કેટલાક ચોમાસામાં ઉપરવાસ અને સ્થાનિક કક્ષાએ ઓછા તેમજ નહિવત વરસાદની સ્થિતિએ જળાશયોમા પણ પાણીની પુરતી આવક નહીં થતાં ખેડૂતોને તળાવ આધારિત નાની સિંચાઇ યોજનાના અભાવે ખેતીકાર્યોમા પિયત માટે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

 ત્યારે આ અંગે  ફરજ પરના અધિકારીએ જણાવ્યુ કે જિલ્લામાં આવેલા તળાવો નાનાા અને મધ્યમ કક્ષાના હોવા ઉપરાંત તમામ વિસ્તાર મહિ કેનાલના કમાન્ડ એરીયામાં આવતો હોવાથી નાની સિંચાઇ યોજના અમલી નથી. સાથોસાથ તળાવો તાલુકાના કાર્યક્ષેત્રમાં હોવાથી નાના તળાવોની નિયત સંખ્યાની જાણકારી નહીં હોવાનુ તેઓએ જણાવ્યુ હતું. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!