બાયડથી અમદાવાદની એસટી બસ રદ કરી દેવાતા હોબાળો

On: March 1, 2022 3:07 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

બાયડ,
તા. 28

બાયડ બસ ડેપોમાં તા.૨૮-૨-૨૦૨૨ ના બપોરના સુમારે અમદાવાદ જવા
માટે ની બસ ન આવતા મુસાફરોમાં રોષ વ્યાપ્યો હતો. કોઇપણ પૂર્વ સૂચના વગર એકાએક બસ રદી
દેવાતા અનેક પ્રવાસીઓ ડેપો ખાતે અટવાઈ પડયા હતા.

અમદાવાદ જતી બસ બપોરે ૩-૧૫ તેમજ ૪-૧૫ બસ જતી હોય છે. જયારે આજે
બપોરે ૩ થી ૪ વાગ્યા સુધી એક પણ બસ અમદાવાદ ન જતા મુસાફરો
, તેમજ વિદ્યાર્થીઓમાં
રોષ વ્યાપ્યો હતો. બાયડ થી અમદાવાદ બસમાં વિદ્યાર્થીઓ મુસાફરો મુસાફરી કરતા હોય છે.ત્યારે  બાયડ થી ચોઈલા
, અમરગઢ,
રમોસ, તેનપુર, ડાભા, જીતપુર, દહેગામ, નરોડા, આ રૃટો ઉપર બસ જતી
હોય છે. બાયડ બસ ડેપોના સરકારી ટેલીફોન વાતચીત કરતા જણાવ્યું હતું કે આજે બપોરે ૩-૦૦
અને ૪-૦૦ એમ બે બસો આવતી હોય છે. તેમણે જણાવ્યું હતું કે મહાશિવરાત્રીના કારણે જુનાગઢના
મેળો હોવાથી બસો બંધ કરી હોય તેવું તેમણે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!