Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વડોદરામાં ઐતિહાસિક વિરાસતોની જાળવણી માટે તંત્રને ઢંઢોળવા કાલે સાંજે ધરણાં અને સૂત્રોચ્ચાર

On: February 26, 2022 8:11 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– ન્યાયમંદિર ઈમારતમાં બરોડા સિટી મ્યુઝિયમ બનાવવાની કામગીરી જલ્દી પૂરી કરવા માંગ

વડોદરા, તા. 26

વડોદરામાં ઐતિહાસિક ન્યાયમંદિર ઇમારતમાં બરોડા સિટી મ્યુઝિયમ બનાવવાની કામગીરી સત્વરે પૂરી કરવા તેમજ ચાર દરવાજા વિસ્તારમાં ઐતિહાસિક વિરાસતો ની જાળવણી માટે ના કામો સમયસર પૂરા કરવાની માગણી સાથે તારીખ 27ના રોજ ધરણા કરવામાં આવશે. નવચેતના ફોરમ દ્વારા સાંજે પાંચ વાગે ધરણા અને સૂત્રોચ્ચાર કરીને તંત્રને વેળાસર આ કામગીરી પૂર્ણ કરવા ઢંઢોળવા પ્રયાસ કરવામાં આવશે. વડોદરા ની શોભા સમાન બેનમૂન ઇમારતો ,દરવાજા જીર્ણ-શીર્ણ થઈ રહ્યા છે. ઐતિહાસિક સ્થાપત્યની જાળવણી બરાબર કરાતી નથી. ન્યાયમંદિર પછી લહેરીપુરા દરવાજા અને માંડવીના પાયાના સ્તંભોમાં તિરાડો જોવા મળી છે. લહેરીપુરા દરવાજાની છત તુટી પડી તેને 6 મહિના થયા છે, હજુ રીપેરીંગ થયું નથી. માંડવીનો સ્તંભ તૂટશે તો માંડવીને વધુ નુકસાન થશે .બેંક રોડ પર પુરાણા રાધાવલ્લભ મંદિરનો ભાગ તૂટી ગયો છે.

પાણીગેટ દરવાજાનો દરવાજો જ કોઈએ કાઢી લીધો છે. આ તમામ વિરાસત બચાવવામાં થતાં વિલંબ સામે ધરણા કરવામાં આવશે. ચાર દરવાજાની પોળોના રહેણાંક વિસ્તારને ધંધાદારી વિસ્તાર બનતો અટકાવવા, ઐતિહાસિક ઈમારતો પર બેનરો નહીં લગાડવા, ચાર દરવાજા વિસ્તારમાં ફૂટપાથ રાહદારીઓ માટે ખુલ્લી કરાવવા સહિતની માગણી પણ વિસ્તારના રહીશો દ્વારા કરાઈ છે અને જણાવ્યું છે કે ન્યાય મંદિર બનાવવાની વાતને ત્રણ વર્ષ થઈ ગયા. હવે ખરેખર કામ થાય તો સારું. જોકે તાજેતરમાં ન્યાયમંદિર અને લાલ કોર્ટ વડોદરા કોર્પોરેશનને સુપરત કરવાનો નિર્ણય લેવાયો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!