[ad_1]

વડોદરા, તા. 14
વડોદરા જિલ્લાના સાવલી નગરના પશુ દવાખાના પાસેથી એક મૃત દેહ મળી આવતા લોકટોળા ઉમટી પડ્યા જે અંગેની જાણ સાવલી પોલીસ ને કરવામાં આવતા સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સાવલી પોલીસે તપાસ કરતાં મૃતદેહ સાવલીના અનાજ કરિયાણા નો વેપાર કરતાં રશીદ ભાઈ વ્હોરા નામના યુવક નો હોવાનું જણાઈ આવ્યું હતું.

વેપારી યુવકનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હોવાનું જણાતા આ ખૂન છે કે આપઘાત તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતક વેપારી યુવક 36 વર્ષનો હોવાનું જાણવા મળ્યું હતું વેપારી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સાવલી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
[ad_2]
Source link






