Live: 2008 અમદાવાદ બ્લાસ્ટ કેસ મામલે વિશેષ અદાલતમાં સજાની સુનાવણીનો આરંભ

On: February 11, 2022 6:15 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– મૃતકોના પરિવારને મળશે ન્યાય

– કોર્ટે બચાવ પક્ષને 24 કલાકનો સમય આપેલો

– રાજ્ય સરકાર દ્વારા આકરી સજાની માગણી

અમદાવાદ, તા. 11 ફેબ્રુઆરી, 2022, શુક્રવાર

વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસ મામલે આજે વિશેષ અદાલતમાં સજાની સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં 49 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવેલા છે અને રાજ્ય સરકાર દ્વારા આકરી સજાની માગણી કરવામાં આવી હતી. કોર્ટે બચાવ પક્ષને 24 કલાકનો સમય આપ્યો હતો અને કહ્યું હતું કે, આરોપીઓ રજૂઆત કરી શકે છે અને દરેક આરોપીને સાંભળવા જરૂરી છે. 

આ કેસમાં બુધવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સજાની સુનાવણી યોજાઈ હતી. કોર્ટે આરોપીઓને પોતાની રજૂઆત કરવા માટે તા. 11 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો હતો.

29 આરોપી નિર્દોષ જાહેર

આ કેસમાં 78 પૈકીના 49 આરોપીઓ UAPA અંતર્ગત દોષી જાહેર થયા હતા જ્યારે 29 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા. આ કેસની ટ્રાયલ શરૂ થઈ અને ત્યારથી ચુકાદો અનામત રહ્યો ત્યાં સુધીમાં કુલ 8 જજોએ સુનાવણી યોજી હતી. 

અમદાવાદના ઈતિહાસનો એ કાળો દિવસ જ્યારે 26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ કેસમાં 14 વર્ષ સુધી ચાલેલી લડત બાદ મંગળવારે ઐતિહાસિક ચુકાદામાં દેશમાં પહેલી વખત 49 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. બોમ્બ બ્લાસ્ટની તે ઘટનામાં 20 સ્થળોએ 21 ધડાકા થયા હતા જેમાં 56 લોકોના મોત થયા હતા અને 200થી વધારે લોકોને ઈજાઓ પહોંચી હતી. 

વધુ વિગતો માટે વાંચો….

2008 અમદાવાદ બ્લાસ્ટ કેસઃ જાણો અત્યાર સુધીમાં શું બન્યું તેના વિશે

અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ આતંકી કૃત્ય, 49 દોષિત

અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ પછી CCTV સર્વેલન્સનો યુગ આવ્યો

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!