[ad_1]

– પ્રતિક ફાળવણી-મતદાર યાદીમાં છબરડા, સમગ્ર મામલે ચૂંટણી અધિકારી પાસે ખુલાસા મંગાયા
જામનગર, તા. 22 જાન્યુઆરી
જામજોધપુર તાલુકા કર્મચારી સંઘની આગામી 23 જાન્યુઆરીને રવિવારે ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે મતદારયાદીમાં અનેક છબરડા અને પ્રતીક ફાળવણી બાબતે વિવાદ સર્જાયા પછી ચૂંટણી અધિકારી સમક્ષ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે, અને એક દિવસમાં તેનું નિરાકરણ લાવવા માગણી કરવામાં આવી છે. જેથી આ વખતે ચૂંટણીનો જંગ જામ્યો છે.
જામ-જોધપુર તાલુકા કર્મચારી સંઘની ચૂંટણી આગામી તા. 23ના રોજ યોજાનાર હોય આ ચૂંટણીમાં આ વખતે બિન હરીફ સમાધાનની ફોર્મ્યુલા ભાંગી પડતાં ચૂંટણી યોજાઈ રહી છે. આ વખતે રસાકસી ભરલો જંગ જામ્યો છે. મતદાનના એક દિવસ પહેલાં જ અમુક ઉમેદવારોને રાષ્ટ્રીય પક્ષના ચિન્હ ફાળવતાં તેમજ બદલી પામેલાં કર્મચારી અને નિવૃત કર્મચારીના નામો મતદાન કરવા માટે મતદાર યાદીમાં સામેલ હોવાથી આ અંગે વિવાદ સર્જાતાં આ ચુંટણીમાં ગરમાવો આવ્યો છે.
આ અંગે એક ઉમેદવાર દીપા ભટાસણા એ ચૂંટણી અધિકારીને લેખીત રજુઆત કરતાં ચર્ચાનો દોર શરૂ થયો છે.
[ad_2]
Source link






