[ad_1]

– સહાય માટે 6,349 ફોર્મ ભરાઈને પાછા આવ્યા, જેમાંથી 5,600 મંજુર થયા
વડોદરા, તા. 24 ડિસેમ્બર
કોરોના મહામારીના કારણે મૃત્યુ પામેલા નાગરિકોના વારસદારોને સહાય આપવાના હેતુંથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફોર્મ વિતરણ અને સ્વીકારવાની કામગીરી લગભગ છેલ્લા એકાદ મહિનાથી ચાલી રહી છે અત્યાર સુધીમાં 24.18 કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે.
વડોદરા નગરના ૩૪ અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી આ ફોર્મ મેળવી શકાય છે અને સંપૂર્ણ વિગતો સાથે ભરેલા ફોર્મ ત્યાં જ જમા કરાવવા માં આવે છે. જ્યારે, જિલ્લામાં આ કામગીરી મામલતદાર કચેરી ખાતેથી કરવામાં આવી રહી છે. જિલ્લામાં કોવિડ મહામારીના કારણે મૃત્યુ પામેલના નાગરિકોના પરિજનો જિલ્લાની સંબંધિત મામલતદાર કચેરીથી ફોર્મ મેળવી ભરેલા ફોર્મ ત્યાં જ ચેક લીસ્ટ મુજબના દસ્તાવેજો સાથે જમા કરાવી રહ્યા છે અને સહાય મેળવી રહ્યા છે વડોદરામાં તારીખ 23 સુધીમાં 6349 ફોર્મ પાછા ભરાઇને આવી ગયા છે જેમાંથી 5600 મંજૂર કરાયા છે જ્યારે 4837 ને સહાય ચુકવવામાં આવી છે સહાય નો આંકડો 24 કરોડ 18 લાખ 50 હજાર છે.
[ad_2]
Source link






