સાવલીના રાણીપુરા ગામની કેનાલ પાસેથી યુવાનની લાશ મળી

On: November 28, 2021 1:30 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા,સાવલી તાલુકાના રાણીપુરા ગામની સીમમાંથી  પસાર થતી કેનાલ નજીકથી એક યુવાનની લાશ મળી આવી છે.ઇજાના નિશાન જોતા અકસ્માતના હોવાનું જણાઇ આવે છે.પરંતુ,મૃતકની ઓળખ થઇ નથી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,સાવલી તાલુકાના રાણીપુરા ગામની સીમમાંથી પસાર થતી માઇનોર કેનાલ પાસેથી ગઇકાલે એક યુવાનની લાશ મળી આવી હતી.જે અંગે સાવલી પોલીસને જાણ કરવામાં આવતા પી.એસ.આઇ.પી.ટી.જયસ્વાલે સ્થળ પર જઇને તપાસ  હાથ ધરી  હતી.મૃતક પાસેથી કોઇ દસ્તાવેજ મળ્યો નથી.જેના આધારે તેની ઓળખ થઇ શકે.પોલીસે મૃતદેહને પી.એમ.માટે મોકલી આપ્યો છે.પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકના શરીર પર જે ઇજાના નિશાન મળી આવ્યા છે.તે ઇજા અકસ્માતમાં થઇ હોવાનું જણાઇ આવ્યું છે.પોલીસે હાલ તો મર્ડરની આશંકા વ્યક્ત કરી નથી.પરંતુ,પી.એમ.રિપોર્ટ આવ્યા  પછી મોતનું  કારણ જાણી શકાશે.મૃતકની ઓળખ માટે પોલીસે આજુબાજુના ગામડામાં તપાસ  શરૃ કરી છે.પરંતુ,હજીસુધી ઓળખ થઇ શકી નથી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!