Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા: એકતાનગરમાં હજુ પણ સમસ્યા યથાવત, ડ્રેનેજના મુદ્દે લોકોનો હોબાળો

On: November 22, 2021 12:18 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 22 નવેમ્બર 2021 સોમવાર

વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલી એકતાનગર વસાહતમાં હજુ પણ સમસ્યા યથાવત જોવા મળી છે. વારંવાર ઉભરાતા ડ્રેનેજના દુર્ગંધ મારતા દૂષિત પાણીના પગલે રહીશો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. સમસ્યાના નિરાકરણ માટે તંત્ર દ્વારા નવી ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ સમસ્યા વધુ વકરી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. ત્યારે પાલિકાના આયોજન સામે પણ સવાલો ઉભા થયા છે.

વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા એકતાનગરમાં પ્રાથમિક સુવિધાના મુદ્દે અવારનવાર સ્થાનિક રહીશો અવાજ ઉઠાવી રહ્યા છે. કુંભકર્ણની નિંદ્રા સમાન મોડે મોડે જાગતી પાલિકા પાસે ચોક્કસ આયોજનનો અભાવ જોવા મળે છે. છેલ્લા ઘણા વર્ષોથી પીવાનું પાણી હોય કે પછી ડ્રેનેજની લાઈન હોય સ્થાનિકો તંત્ર વિરુદ્ધ અવાર નવાર આક્રોશ પ્રદર્શિત કરે છે.  

વર્ષો જૂની ડ્રેનેજ લાઇનના પગલે અવારનવાર લાઈન ચોકઅપ થવાની બૂમો ઉઠતા તંત્ર દ્વારા તાજેતરમાં જ નવી ડ્રેનેજ લાઈન કાર્યરત કરવામાં આવી છે. જોકે આ નવી ડ્રેનેજ લાઇનના પગલે અગાઉ કરતાં સમસ્યા વધુ વકરી હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે. 

સ્થાનિકોએ તંત્રનું ધ્યાન દોરવા રજૂઆત કરી હતી કે, કમલાનગર તરફથી આવતું પાણી ડ્રેનેજ લાઇનમાં બેક મારી રહ્યું છે. વારંવાર ઉભરાતા દૂષિત પાણીના પગલે વિસ્તારમાં દુર્ગંધની સાથે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. ઘરોમાંથી પણ દૂષિત પાણી બેક મારતા બીમારીના વાવરનો ભય સતાવે છે. જેથી કાયમી ધોરણે તંત્ર સમસ્યાનું નિરાકરણ કરે તે જરૂરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!