Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

દેવુ ભલે વધે પણ કોન્ટ્રાકટરોને સાચવો એ.એમ.ટી.એસ.ની બંધ ૯૨૭ બસના આયોજનને બદલે ૩૦ કરોડના ખર્ચે નવી બસ ખરીદાશે

On: March 22, 2022 11:58 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


અમદાવાદ,મંગળવાર,22
માર્ચ,2022

૩૫૦૦ કરોડના દેવાના આર્થિક બોજ હેઠળ ચલાવાઈ રહેલી
મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં ૧૫ વર્ષ જુની બંધ કરવામાં આવેલી ૪૬૬ અને
ભંગારમાં નાંખવામાં આવેલી ૪૬૧ બસ મળીને ૯૨૭ બસમાંથી નવી બસ મેળવવા નકકર આયોજન
કરવાના બદલે પંદરમાં નાણાં પંચમાંથી નવી ૧૧૮ જેટલી મીડી બસ ખરીદી મળતીયા કોન્ટ્રાકટરને
ચલાવવા આપવાની કવાયત શરુ કરવામાં આવી છે.એ.એમ.ટી.એસ.શહેરીજનો માટે નહીં પણ
કોન્ટ્રાકટરો માટે ચલાવવામાં આવી રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યુ છે.

સ્થાપનાના ૭૫મા વર્ષમાં પ્રવેશેલી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ
સર્વિસની હાલત સતત કથળી રહી છે.રેવન્યુ લોસમાં ઘટાડો કરવાના બદલે રેવન્યુ લોસ વધે એ
પ્રકારના નિર્ણય સત્તાધીશો દ્વારા લેવામાં આવી રહ્યા છે.વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણે
માંગેલી માહિતીમાં તંત્રે જણાવ્યા મુજબ
,૧૫માં નાણાંપંચની
મળેલી ૩૦ કરોડની ગ્રાન્ટની રકમમાંથી નવી ૧૧૮ મીડી સી.એન.જી.બસ ખરીદવા કાર્યવાહી શરુ
કરવામાં આવી છે.જયારે તંત્ર પાસે હાલમાં ૧૫ વર્ષ જુની એવી ૪૬૬ અને સ્ક્રેપ માટે નાંખવામાં
આવેલી ૪૬૧ બસ મળી કુલ ૯૨૭ બસ અંગે શું આયોજન કરવામાં આવ્યુ છે એ અંગે સત્તાવાળાઓએ કોઈ
જવાબ આપ્યો નથી.જયારે આટલી મોટી સંખ્યામાં એએમટીએસ પાસે બસ પડી હોય ત્યારે શા માટે
આ બસ જે કંપનીની હોય એ કંપની સાથે વાતચીત કરી આ બસ તેમને પરત આપી નવી જેટલી પણ બસ આવે
એ બસ એએમટીએસ કયા કારણથી પોતે ચલાવવા માંગતી નથી એવો સવાલ પણ વિપક્ષનેતાએ કર્યો છે.

વર્ષ-૨૦૧૭માં 
સ્માર્ટ સિટી યોજના અંતર્ગત ૭૫ અને એએમટીએસ ફંડમાંથી ૮ મીડી ડીઝલ બસ
ખરીદવામાં આવી હતી.હાલમાં એએમટીએસમાં સાત જેટલા ખાનગી ઓપરેટરોની બસ ઓનરોડ ચાલી રહી
છે.ડીઝલ આધારીત કુલ ૩૨૩ અને સીએનજી આધારીત કુલ ૩૨૫ બસ ઓનરોડ હોવાનો તંત્રે દાવો
કર્યો છે.ખાનગી ઓપરેટર કે એએમટીએસની એકપણ ઈલેકટ્રીક બસ ઓનરોડ નથી.છેલ્લા ત્રણ
વર્ષમાં ડીસેમ્બર-૨૦૨૧ સુધીમાં પ્રાઈવેટ ઓપરેટરો સંચાલિત ડીઝલ અને સીએનજી બસ મળીને
કુલ આવક ૩૪૭.૭૮ કરોડ જેટલી થવા પામી છે.જે સામે એએમટીએસને ૯૦૬.૨૮ કરોડથી વધુની
રકમનો રેવન્યુ લોસ થવા પામ્યો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!