Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

પાંચ શખ્સોએ ઘાતક હથિયારો અને ફાયરિંગ કરી ઝીંઝુડાના યુવાનનું ઢીમ ઢાળી દીધુ

On: March 1, 2022 11:09 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– ચોટીલાની બજારમાં ધોળા દિવસે સનસનાટીભરી ઘટના

– ધર્મેન્દ્રએ સાત-આઠ માસ પહેલા માવજીભાઈની હત્યા કરી હોવાના મામલે બદલો લેવાયો

સુરેન્દ્રનગર : ચોટીલા-થાન રોડ ઉપર વાસુકીદાદાના મંદિર પાસે સોમવારે સાંજે ઝીંઝુડા ગામનાં ધર્મેન્દ્રભાઈ ખાચર ઉપર પાંચ શખ્સો ઘાતક હથિયારો લઈ તુટી પડયા હતા અને બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યુ હતું. હુમલામાં ધર્મેન્દ્રભાઈનું મોત થતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઇ હતી.ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

ચોટીલાની પંચનાથનગર સોસાયટીમાં રહેતા કાળુભાઈ રામભાઈ ધાંધલે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ હકીકત એવી છે કે ધર્મેન્દ્રભાઈએ સાત-આઠ માસ પહેલા માવજીભાઈ વીરજીભાઈ ગાંગડિયાનું ઝીંઝુડા ગામે ખુન કર્યુ હતું. તેનું વેર રાખી આરોપીઓએ  કાવતરૂ ઘડી ધર્મેન્દ્રભાઈની હત્યા કરી છે.  ફરિયાદમાં એવો ઉલ્લેખ પણ કર્યો છેકે,મારા મામાના દિકરા શાંતુભાઈ ટપુભાઈ ઉર્ફે અમરાભાઈના દિકરા ધર્મેન્દ્રભાઈને ઝીંઝુડામાં માથાકુટ હોવાથી છેલ્લા ત્રણ મહિનાથી મારા ઘરે રહેતો હતો. તા.૨૮ના રોજ મારી દાઢ દુ:ખતી હોય તે કઢાવવા અમે ગયા હતા. ત્યારે ધર્મેન્દ્રભાઈ બાઈક ચલાવતા હતા. વાસુકી મંદિર પાસે પહોચતા બાકડા ઉપર બેઠેલા ચાર શખ્સો અચાનક ધસી આવ્યા હતા અને અમારૂ બાઈક અટકાવી છરી વડે ધર્મેન્દ્રભાઈ ઉપર ઘા કરવા લાગ્યા હતા. લખમણભાઈ વીરજીભાઈ ગાંગડિયાના હાથમાં રિવોલ્વર જેવું હથિયાર, રાયધન ઉર્ફે ભાદાભાઈ કાળાભાઈ ગાંગડિયા પાસે છરો, ભુપતભાઈ કાળુભાઈ ગાંગડિયા અને અનકભાઈ અરજણભાઈ ગાંગડિયા પાસે છરી હતી. આ તમામે એક સંપ થઇ હુમલો કરતા ઢળી પડેલા ધર્મેન્દ્રભાઈના માથા પર લખમણભાઈએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. 

હુમલા બાદ લખમણભાઈ તથા રાયધન ઉર્ફે ભાદો બાઈક ઉપર થાન બાજુ અને અનકભાઈ તથા ભુપતભાઈ બાઈક ઉપર ચોટીલા ગામ તરફ નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત ધર્મેન્દ્રભાઈને ચોટીલા સરકારી દવાખાને લઈ જવાતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ ફરિયાદમાં એમ પણ જણાવ્યું છેકે ધર્મેન્દ્રભાઈને મારી નાખવાનો પ્લાન વિનુભાઈ વીરજીભાઈ ગાંગડિયા (ઝીંઝુડા) કે જે આર્મીમાં નોકરી કરતો હોય રજા ઉપર આવ્યો ત્યારે તેણે બનાવ્યો હતો. લખમણના હાથમાં રિવોલ્વર હતી તે વીનુની હોય તેવી મને શંકા છે. 

કોની કોની સામે ફરિયાદ થઈ…?

લખમણભાઈ વીરજીભાઈ ગાંગડિયા,રાયધનભાઈ ઉર્ફે ભાદાભાઈ કાળાભાઈ ગાંગડિયા, ભુપતભાઈ કાળુભાઈ ગાંગડિયા,અનકભાઈ અરજણભાઈ ગાંગડિયા અને વીનુભાઈ વીરજીભાઈ ગાંગડિયા (તમામ રહે રહે ઝીંઝુડા)

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!