Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ભુજ, અબડાસા, નખત્રાણા, લખપત અને અંજાર પંથકમાં કમોસમી વરસાદ

On: January 6, 2022 2:32 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ, બુાધવાર

અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિર્સ્ટબન્સના કારણે કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી વચ્ચે કચ્છમાં ગત મોડી રાત્રીથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાનો દોર શરૃ થયો હતો. માવઠાના પગલે ટાઢોડું ફરી વળ્યું છે. વાતાવરણમાં આવેલા પલટાથી ધરતીપુત્રો માલાધારીઓમાં ચિંતા ફેલાઈ છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સાથે સાયકલોનિક સર્કયુલેશનની અસરના પગલે જિલ્લામાં વાદળ છાયું વાતાવરણ રહેશે અને છૂટા છવાયા સૃથળોએ હળવો વરસાદ પડવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. નખત્રાણા, અબડાસા, લખપત, ભુજ, અંજાર તાલુકામાં હળવો વરસાદ પડયો છે.

જિલ્લા માથક ભુજમાં સવારાથી આકાશ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યુું હતું. હિલ સ્ટેશન જવો માહોલ છવાયો હતો. ધીમી ધારે વરસાદ શરૃ થયો હતો. બપોર સુાધી છૂટા છવાયા છાંટા પડયા હતા. માવઠાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રી અને મહત્તમ તાપમાન આઠ ડિગ્રી જેટલો ઘટાડો થઈને ર૧.૯ ડિગ્રી નોંધાયું હતું. રાજ્યનું બીજા નંબરનું ઠંડું માથક રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૮૧ ટકા અને સાંજે ૭૪ ટકા રહ્યંુ હતું. દિવસભર લોકોને ગરમ વસ્ત્રોમાં લપેટવાની ફરજ પડી હતી. ભુજ તાલુકાના લોરીયા, સુમરાસર, સહિતના વિસ્તારમાં સવારે ઝાપટા વરસ્યા હતા.

ગઢશીશામાં સવારે ૧૦-૩૦ વાગ્યાની આસપાસ ઝરમર વરસાદ શરૃ થયો હતો. આ વિસ્તારના ગામોમાં વરસાદી છાંટા પડયા હતા. નખત્રાણા તાલુકાના ઉખેડા વિસ્તારમાં હળવું ઝાપટું વહેલી સવારે પડયું હતું. 

નલિયામાં હળવું ઝાપટું વરસ્યું હતું. લઘુત્તમ તાપમાન ૧૪.૪ ડિગ્રી નોંધાયું હતું અને સૌથી ઠંડં માથક બન્યું હતું. ઠંડીની તીવ્રતા વાધતા જનજીવન પ્રભાવિત થયું હતું. અંજાર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં બપોરે એક વાગ્યાની આસપાસ ઝાપટા પડયા હોવાનું જાણવા મળ્યું છે. માવઠાના કારણે ખેડૂતો માલાધારી વર્ગમાં ચિંતા ફેલાઈ છે. ખેતીના ઉભા પાક અને ઘાસને નુકશાન પહોંચવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!