Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વડોદરામાં વિશ્વામિત્રી નદી સ્વચ્છ કરવાની માગણી સાથે તંત્રને ઢંઢોળવા આરતી કરાઇ

On: December 31, 2021 12:04 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– મહી નદીને પણ ચોખ્ખી કરવા ગઈ કાલે આરતી કરી હતી

– નદી ઉત્સવની ઉજવણી કરતું તંત્ર મહી અને વિશ્વામિત્રી સ્વચ્છ કરાવે તેવી રજૂઆત

વડોદરા, તા. 31 ડિસેમ્બર

ગુજરાત સરકારે સફાઈ અને લોકજાગૃતિ ના નામે નદી ઉત્સવની ઉજવણી શરૂ કરી છે .ગુજરાતની એક નહીં પણ વીસ નદી પ્રદૂષિત છે. વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પણ ગટરના દૂષિત પાણીથી મેલી બની છે. નદીના શુદ્ધિકરણની વાતો થાય છે, પરંતુ નદી ચોખ્ખી બની શકી નથી. શાસકો નદીને શુદ્ધ કરવાની વાતો કરવાને બદલે નક્કર કામગીરી કરે તે માટે તંત્રને ઢંઢોળવા અને તેની આંખો ખોલવા ના પ્રયાસ રુપે આજે નદી કિનારે આરતી રાખવામાં આવી હતી .વડોદરા અને આણંદ જિલ્લા વચ્ચે પસાર થતી મહિ નદી પણ દૂષિત બની છે. મહિને સ્વચ્છ બનાવવાની માંગ સાથે ગઈકાલે વાસદ મહીસાગર ખાતે આરતી કરવામાં આવી હતી.

વિશ્વામિત્રી નદીમાં કિનારા ઉપર કેટલાય ઠેકાણેથી ગટરના પાણી છોડવામાં આવે છે. કોર્પોરેશનના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી સીધું નદીમાં ઠલવાઇ નદીને પ્રદુષિત કરવામાં આવી રહી છે .વરસાદી કાંસમાં વરસાદને બદલે બારેમાસ ગટરના પાણી વહે છે  આ પાણી પણ નદીમાં જાય છે .નદી ગંદકીના કારણે મચ્છર પેદા કરતું સ્થળ બની ગઈ છે. 17 કિલોમીટરની લંબાઈ ધરાવતી નદીમાં ડ્રેનેજના પાણી રોકવા સરકારના નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન હેઠળ 551 કરોડના ખર્ચની એક યોજના તૈયાર કરાઈ છે. જે માટે 60 ટકા ફંડિંગ કેન્દ્ર સરકાર આપવાની છે. 10 ટકા રાજ્ય સરકાર અને 30 ટકા નાણાં કોર્પોરેશને કાઢવા પડશે. આટલો ખર્ચ કરવા છતાં નદી ચોખ્ખી ક્યારે થશે તે સવાલ છે. લોકોને નદી ઉત્સવ ના નામે નદી ચોખ્ખી રાખવા સલાહ આપું તંત્ર પહેલા નદીમાં પાણી બંધ કરાવી ઠોસ કામગીરી કરે તેવી રજૂઆત આરતી કરનારા સામાજિક કાર્યકરોએ કરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!