Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

આવકવેરાનો ઑડિટ રિપોર્ટ ભરાય પછી જીએસટી ઑડિટની તારીખ રાખો

On: December 29, 2021 9:53 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર

આવકવેરાનો ઑડિટ રિપોર્ટ ફાઈલ કરવાની તારીખ પહેલા જ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના ઑડિટ રિપોર્ટ ફાઈલ કરવાની આવતી હોવાથી વેપારીઓને તકલીફ પડી રહી છે. પરિણામે પહેલા આવકવેરાનો ઑડિટ રિપોર્ટ ફાઈલ થઈ જાય તેના બેથી ત્રણ મહિના બાદ જ જીએસટીનો ઑડિટ રિપોર્ટ ફાઈલ કરવાની સિસ્ટમ રાખવી જોઈએ. 

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં ઑડિટને લગતા કાયદા મુજબ વાર્ષિક રૃા. ૫ કરોડથી વધુ રકમનું ટર્નઓવર ધરાવતા વેપારીએ જીએસટીના વાર્ષિક રિટર્નના ફોર્મ નંબર જીએસટીઆર-૯ ભરવાની સાથે જ જીએસટીઆર-૯ સી (ઑડિટ રિપોર્ટ) પણ અપલોડ કરવો પડે છે. આ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧મી ડિસેમ્બર છે. તેની સામે આવકવેરાનું ઑડિટ રિપોર્ટ સબમિટ કરવાની છેલ્લી તારીખ ૧૫મી જાન્યુઆરી ૨૦૨૨ છે. આવકવેરાના ઑડિટ રિપોર્ટ ફાઈલ થયા વિના જીએસટીના ઑડિટ રિપોર્ટ ફાઈલ કરવા કઠિન છે. તેથી આવકવેરાના ઑડિટ રિપોર્ટ ફાઈલ થઈ ગયા પછી જ જીએસટીના ઑડિટ રિપોર્ટ ફાઈલ કરવાની વ્યવસ્થા રાખવી જોઈએ તેવી વેપારી આલમની માગણી છે. જીએસટીઆર-૯ના વાર્ષિક રિટર્ન ફાઈલ કરતી વખતે ઑડિટ રિપોર્ટ તૈયાર કરવામાં ઉતાવળ થઈ જાય છે. તેથી વેપારીઓની તકલીફ વધી રહી છે. 

ટેક્સ કન્સલ્ટન્ટ્સનું કહેવું છે કે આવકવેરાના ઑડિટ રિપોર્ટ અને જીએસટીના ઑડિટ રિપોર્ટ સબમિટ કરવાની તારીખ વચ્ચે સુમેળ હોવો જરૃરી છે. આવકવેરાના ઑડિટ રિપોર્ટ સબમિટ થયા પછી થોડા અઠવાડિયા બાદ જીએસટીનો ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની સિસ્ટમ રાખવી જોઈએ. 

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના કાયદાની જોગવાઈ મુજબ રૃા. ૫૦,૦૦૦થી વધુ મૂલ્યનો માલ ટ્રાન્સપોર્ટમાં મોકલવામાં આવતો હોય તો તેને માટે ઈ-વૅ બિલ રાખવું ફરજિયાત રાખવામાં આવ્યું છે. તેની સામે શહેરની સીમા મર્યાદામા ંજ માલ મોકલવાનો હોય તો તેવા સંજોગોમાં ગુજરાત સરકારના જીએસટી કમિશનરે ૧૯મી સપ્ટેમ્બર ૨૦૧૮ના કરેલા પરિપત્ર મુજબ શહેરની અંદર જ માલની હેરફેર કરવી હોય તો તેવા સંજોગમાં તેને રૃા. ૫૦,૦૦૦ના મૂલ્યની મર્યાદા લાગુ પડતી નથી. પરંતુ કેટલાક વિસ્તારોમાં શહેરની હદને અડોઅડ જ બીજા શહેરની હદ આવતી હોય તો તેવા સંજોગોમાં આ અંગે વિવાદ થાય છે. અમદાવાદના શીલજ વિસ્તારમાં એક રસ્તો અમદાવાદમાં પડે છે, તેની બાજુનો જ રસ્તો ગાંધીનગરમાં પડે છે. તેથી તે રસ્તા પર માલ આપવા કોઈ પહોંચી જાય તો તેની પાસે બધાં જ દસ્તાવેજો હોવા છતાંય તેને નિયમ ભંગ કરેલો ગણાય છે. આ સ્થિતિ ચાંગોદર માલ આપવા જનારાઓને પણ કનડી રહી છે. આ પ્રકારના વિવાદથી બચવું હોય તો વેપાારીઓએ ગમે ત્યાં જાય ત્યાં ઈ-વૅ બિલ બનાવીને જ નીકળવું જોઈએ. ભલેને પછી તે રૃા. ૧૦,૦૦૦ના મૂલ્યનો જ માલ હોય. તેમ કરવાથી જીએસટીના અધિકારીઓની કનડગતથી બચી શકાય છે.

જીએસટીમાં ટેકનિકલ એરર થાય તો પણ કરાઈ રહેલી  સો ટકા પેનલ્ટી

જીએસટીના વેપારીઓ સતત માલની હેરફેર કરતા રહે છે. તેમાં કેટલાક વેપારીઓ વડોદરાથી માલ લઈને સીધો ભુજ વેચી દેતા હોય છે. પરંતુ પોતે તે માલ વેચ્યો હોવાનું પ્રસ્થાપિત કરવા માટે અમદાવાદથી ઈ-વૅ બિલ કઢાવે છે. આ તબક્કે સરકારની આરએફઆઈડી તરીકે ઓળખાતી ટેક્નોલોજી વિવાદ ઊભા કરે છે. આરએફઆઈડીને કારણે વાહન પસાર થાય ત્યારે તેને માટે ઇ-વૅ બિલ અમદાવાદથી નીકળ્યં હોવાનું જોવા મળે છે, પરંતુ ટ્રક તો વડોદરાથી નીકળીને ભુજ જઈ રહી હોવાથી ફ્લાયિંગ સ્ક્વૉડના અધિકારીઓ તે વાહનને શંકાની નજરથી જોઈ પૂછ પરછ કરે છે. આ પૂછપરછમાં ડ્રાઈવર માલ ક્યાંથી લીધો તે બતાવી દે છે. તેથી માલ મોકલનાર પાસે ઈ-વૅ બિલ, ઇન્વોઈસ, ડિલીવરી ચલણ અને લોરી રિસિપ્ટ સહિત તમામ દસ્તાવેજો હોવા છતાંય તેને માલ પર સો ટકા ટેક્સ અને સો ટકા પેનલ્ટી લગાવી દે છે. આ કેસમાં વેપારી કે માલ મોકલનાર પિક અપ પોઈન્ટ દર્શાવવાનું ઈ-વૅ બિલમાં ભૂલી ગયો હોય તેથી તમામ દસ્તાવેજો હોવા છતાંય તે દંડને પાત્ર બની જાય છે.આ સ્થિતિમાં કોઈ મધ્યમ માર્ગ કાઢવામાં આવે તેવી વેપારી આલમની લાગણી અને માગણી છે.

ગોદામના એડ્રેસનું રજિસ્ટ્રેશન થાય તે પહેલા જ માલ મોકલો તો પણ પેનલ્ટી

વેપારીની ઑફિસ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં હોય અન ેતે વેપારી માલનો સંચય કરીને ડિલીવરી કરવા માટ ેસરખેજમાં ગોદામ લે તો તેવા સંજોગોમાં તેણે સરખેજના ગોદામમાંથી માલ ડિલીવરીની શરૃઆત કરતાં પહેલા જીએસટીની કચેરીમાં તેના ગોદામના સ્થળનું સરનામું રજિસ્ટર કરાવવું પડે છે. આ માટ ેતેને ૧૫ દિવસનો સમય મળે છે. પરંતુ તેણે અરજી કરી હોય અને રજિસ્ટ્રેશન ન આવ્યું હોય અથવા અરજી કરવાની પ્રક્રિયા ચાલતી હોય તેવા સંજોગમાં ગોદામ પરથી માલની ડિલીવરી થઈ હોય તો તે ડિલીવરી કરનાર વેપારી પાસે સો ટકા પેનલ્ટી વસૂલવામાં આવી રહી છે. પેનલ્ટી વસૂલવામાં આટલો અતિરેક ન હોવો જોઈએ તેવી વેપારી આલમની લાગણી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!