[ad_1]

સામાન્ય સભા પહેલા થયેલી સંકલન બેઠકમાં માસ્ક પહેર્યા
વગર આવેલા કોર્પોરેટરને માસ્ક આપ્યા
સુરત,
સુરતમાં
કોરોનાની ગાઈડ લાઈનનો ભંગ કરીને કરવામાં આવેલા રાજકીય મેળાવડા બાદ કોરોના કેસનો બ્લાસ્ટ
થતાં લોકોમાં રાજકારણીઓ ્પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોના રોષ જોતાં ભાજપના
નેતાઓએ કોર્પોરેટરોને જાહેરમાં માસ્ક પહેરવા માટે તાકીદ કરી છે.
સુરતમાં
કેસમાં થયેલો વધારો સરકાર,
રાજકારણીઓના કાર્યક્રમ અને હુનર હાટ જેવા કાર્યક્રમમાં ભેગી થયેલી મેદની
જવાબદાર હોવાનું લોકો માની રહ્યાં છે. જે રીતે રાજકારણીઓ કોરોનાની ગાઈડ લાઈનનો છડેચોક
ભંગ કરી રહ્યાં છે તેના કારણે લોકોમાં રાજકારણીઓ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
લોકોનો આ રોષને ઓળખીને ભાજપના નેતાઓ દ્વારા કોર્પોરેટરોને માસ્ક પહેરવા માટે તાકીદ
કરવામાં આવી છે.
પાલિકાની
સામાન્ય સભા પહેલાં થયેલી ભાજપની સંકલન બેઠકમાં તમામ કોર્પોરેટરોને જાહેરમાં માસ્ક
પહેરવા માટે સુચના આપવામાં આવી હતી. જાહેર જગ્યાએ કોર્પોરેટરો માસ્ક વિના જોવા નહી
મળે તેવી રીતે રહેવા માટે કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત સામાન્ય સભા પહેલાની
સંકલન બેઠકમાં જે કોર્પોરેટરો માસ્ક વિના આવ્યા હતા તેઓને માસ્કનું વિતરણ કરવામા
આવ્યું હતું. સાથે સાથે પાલિકા કચેરીમાં તમામ કોર્પોરેટરો માસ્ક સાથે જ જોવા મળે
તે મુજબની સુચના પણ આપવામાં આવી છે.
[ad_2]
Source link






