[ad_1]

જામનગર, તા. 6 ડિસેમ્બર 2021 સોમવાર
જામનગરમાં મકવાણા સોસાયટી વિસ્તારમાં રહેતી 31 વર્ષીય યુવતી છેલ્લા કેટલાક સમયથી ટીબી તેમજ ફેફસાની બીમારીમાં સપડાઇ હતી, અને તેણીનું જી જી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવની વિગતો એવી છે કે જામનગરમાં મકવાણા સોસાયટી શેરી નંબર પાંચ માં રહેતી અસ્મિતાબા મહિપતસિંહ જાડેજા નામની 30 વર્ષની પરિણીત યુવતી કે જે કેટલાક સમયથી ટીબી અને ફેફસાંની બીમારીથી પીડાતી હતી, અને તેણીને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે છત્રપાલસિંહ મહિપતસિંહ જાડેજા યે પોલીસને જાણ કરતાં સીટી-સી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
[ad_2]
Source link






