Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સુરેન્દ્રનગરમાં દુબઈ, કેનેડા અને ઓસ્ટ્રેલિયાથી આવેલા 17 લોકોને કવોરન્ટાઈન કરાયા

On: December 4, 2021 9:00 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વિદેશથી આવનારા લોકોને હોમ આઇસોલેશનમાં રખાયા

ટેસ્ટિંગમાં તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો :  ગાઇડલાઇનના કડક પાલન માટે સૂચના

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં દુબઈ અને કેનેડાથી આવનારા ૧૭ લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. કોરોના વાઇરસનાં નવા વેરીઅન્ટ ઓમીક્રોનની દહેશત વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાનું આરોગ્ય તંત્ર પણ સાબદું બન્યું છે. વિદેશથી આવેલા આ ૧૭ જેટલી વ્યકિતને ૧૪ દિવસ માટે હોમ આઇસોલેશનમાં રહેવા તાકિદ કરવામાં આવી છે. 

આ અંગેની વધુમાં જાણવા મળતી વિગત એવી છે કે, ઓમીક્રોન વેરીઅન્ટની સમગ્ર ગુજરાતમાં દહેશત ફેલાઈ છે. જેના પગલે રાજયનું આરોગ્ય તંત્ર સાબદુ બન્યુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આરોગ્ય તંત્ર દ્વારા વિદેશથી આવતા લોકોના ટેસ્ટીંગ, સ્કેનીંગ, વિગેરે કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં દુબઈ, કેનેડા અને ઓસ્ટ્રેલિયાથી આવેલા ૧૭ જેટલા પ્રવાસી નાગરીકોના ટેસ્ટીંગ અને સ્કેનીંગ કરવામાં આવતા તમામના રીપોર્ટ નેગેટીવ આવેલ છે. જો કે, તકેદારીના ભાગ રૂપે આ તમામને ૧૪ દિવસ માટે કવોરોન્ટાઈન રહેવાની સુચના આપવામાં આવી છે. 

જિલ્લામાં નવી કોવિડ ગાઈડલાઇનના પાલન માટે વહિવટી તંત્ર, આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્ર સાબદું બન્યું છે. જાહેર સ્થળોએ લોકો માસ્ક પહેરી રાખે અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખે તે માટેની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવા માટે ઉમેદાવોર અને સમર્થકો બહોળી સંખ્યામાં ઉમટયા હોવાથી જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરનું જોખમ તોળાઈ રહ્યું છે. 

જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં વેક્સિનેશનની કામગીરીમાં ઝડપ લાવવા માટે પણ તાકિદ કરાઈ હોવાનું જાણવા મળે છે. શંકાસ્પદ લક્ષણોવાળા લોકોને તાત્કાલિક કોરોના ટેસ્ટ કરાવી લેવા માટે તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!