Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

જામનગરમાં ખેતીવાડી વિસ્તારના એક ઝૂંપડામાં મોડી રાત્રે આગની ઘટનાથી ભારે દોડધામ

On: November 2, 2021 1:20 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– ફાયર બ્રિગેડની ટીમે ઝડપભેર આગને કાબૂમાં લઇ લેતાં આસપાસના અન્ય ઝૂંપડાઓ બચી ગયા

– જે ઝૂંપડામાં આગ લાગી હતી, તેમાં દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની આશંકા

જામનગર,તા.2 નવેમ્બર 2021,મંગળવાર

જામનગરમાં ખેતીવાડી ફાર્મ નજીક આવેલા એક ઝૂંપડામાં ગઈકાલે રાત્રે ત્રણેક વાગ્યાનાં અરસામાં અકસ્માતે આગળ ભભૂકી ઉઠી હતી, અને ઝૂંપડું બળીને ખાખ થયું હતું. સદભાગ્ય કોઈ જાનહાની થઈ ન હતી. ફાયરબ્રિગેડે દોડી જઇ આગને કાબૂમાં લઈ લેતાં આસપાસના અન્ય ઝૂંપડામાં આગ પ્રસરતી અટકી હતી.

જામનગરમાં દિગઝામ સર્કલથી વુલન મીલ તરફ જવાના માર્ગે ખેતીવાડી ફાર્મ પાસે આવેલા જેન્તીભાઈ કરસનભાઈ પરમાર નામની વ્યક્તિના ઝૂપડામાં રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં અકસ્માતે આગ લાગી હતી, અને ઝડપભેર સળગવા લાગ્યું હતું. ઉપરાંત ઝુપડાની અંદર રહેલા ગાદલા ગોદડા વગેરે પણ સળગી ઊઠયા હતા.

આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર શાખાની ટુકડી તુરત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીના જુદા-જુદા બે ફાયર ફાયટરોની મદદથી માત્ર 30 મિનિટમાં જ આગને કાબૂમાં લઈ લીધી હતી.

ઉપરોક્ત વિસ્તારમાં નજીક નજીકમાં અડધો ડઝન જેટલા ઝુપડા આવેલા છે. પરંતુ સમયસર આગ કાબૂમાં આવી ગઈ હોવાથી અન્ય ઝૂંપડામાં આગ પ્રસરતી અટકી હતી, અને માત્ર એક ઝૂંપડું બળીને ખાખ થયું હતું. જે આગ બુઝાવવા માટે ફાયર ના સાત જેટલા જવાનોએ જહેમત લીધી હતી.

જામનગર ખેતીવાડી ફાર્મ નજીક ગઇ રાત્રિના ત્રણ વાગ્યે એક ઝૂંપડામાં અકસ્માતે આગ લાગી હતી, અને ઝૂંપડું બળીને ખાખ થઈ ગયું હતું. જે ઝુંપડામાં દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની આશંકા સેવાઈ રહી છે, જેના કારણે જ તણખો ઉડવાથી આ પ્રસરી હોવાનું પણ જાણવા મળી રહયું છે. સાથો સાથ તપેલો, તેલના ખાલી ડબ્બા જેવી સામગ્રી પણ જોવા મળી હતી. જેથી ઉપરોક્ત ઝુંપડામાં દારૂની ભઠ્ઠી ચાલી રહી હોય તેવી આશંકા વ્યક્ત કરાઈ છે.

માલિક ચૂલો (ભઠ્ઠી) ચાલુ રાખીને સૂઈ ગયા હશે, દરમિયાન તણખો ઉડવાથી ઝડપભેર આગ પ્રસરી ગઇ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જોકે સમગ્ર મામલે પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો જ સત્ય બહાર આવશે તેવું મનાઈ રહ્યું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!