અકસ્માતમાં ઇજા પામેલા યુવકના 53 હજાર જેટલી રોકડ રકમ પરિવારને પરત કરી


વાપી અંબેમાતા મંદિર પાસે ગાર્ડન નજીકમાં અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા એક બાઈક સવારને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ખસેડવા 108 એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવતા વાપી એમ્બ્યુલન્સ ઉપર ફરજ બજાવતા પાયલોટ હિતેશ ભાઈ રાઠોડ અને ઇ એમ ટી ચંદ્રાવતી બેન પટેલ સ્થળ ઉપર પહોંચી ઇજાગ્રસ્તને. રાય સાહેબ રાજકુમાર જેસવાલ રહેવાસી છરવાડા સાઈ વિહાર,જેઓ માર્બલ ફિટિંગ ની કામગીરી કરતા હોય બપોરે ઘરે થી જમીને કામ અર્થે જતા હતા ત્યારે અકસ્માત સર્જાતા તેમની પાસે એક મોબાઈલ ફોન અને 53 હજાર રોકડ મળી આવ્યા હતા તે ઇ એમ ટી ચન્દ્રવતી બેન પટેલે ઇજાગ્રસ્તના પરિજનોને હાથોહાથ સોંપીને ઈમાનદારી અને ફરજનિષ્ઠા નું ઉદાહરણ પૂરું પાડ્યું છે





