
કાકડકુવા ગામે મંદિર ફળીયા માં આવેલ શ્રી રામ મંદિર ના જીર્ણોદ્ધાર અર્થે તારીખ 21 માર્ચ સોમવાર થી તારીખ 29 માર્ચ મંગળ વાર સુધી શ્રી રામ કથા નું આયોજન સવારે 9 વાગ્યા થી બપોરે 1 વાગ્યા સુધી યોજાશે કથા નું રસપાન માં મેલડી ના ઉપાસક વિજયબાપુ ના કંઠે સંગીત મય વાણી માં થશે સોમવાર ના દીને પોથીયાત્રા સવારે 9 વાગ્યા જલારામ મંદિર થી નીકળી મંદિર ફળીયા કથા સ્થળે પોહચશે કથા ના દિવસો દરમ્યાન દરરોજ બપોરે 1 કલાકે મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવશે

કથાના દિવસો દરમ્યાન વિવિધ પ્રસંગો રામ જન્મોત્સવ,જાનકી વિવાહ સહિત ની ઉજવણી થશે જ્યારે અંતિમ દિવસે રાત્રે 9 કલાકે સંતવાણી લોકડાયરા નું આયોજન થશે જેમાં આસપાસ ના ગામના ભાવિક ભક્તો ને ઉપસ્થિત રહેવા કાકડકુવા ભક્ત મંડળ દ્વારા સૌ ને નિમંત્રણ પાઠવામાં આવે છે





