દાદરા અને નગર હવેલી ના દિગગજ નેતા સાત સાત વાર જનતા ના પ્રેમ અને વિશ્વાસ ઉપર ખરા ઉતરનારા લોકપ્રિય જન નાયક સ્વર્ગીય મોહન ભાઈ ડેલકર ને શ્રદ્ધાજંલી આપવા વાપી શિવસેના ની ટિમ પણ સેલવાસ પોહચી હતી
સેલવાસ ખાતે આવેલા સાયલી ફાર્મ હાઉસ ઉપર તેમને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં શિવસેના મુંબઇ ના સંજય રાઉત સાહેબ શિવસેના લીડર રાજ્યસભા મિનિસ્ટર ઓફ ટુરિઝમ આદિત્ય ઠાકરે સાહેબ,દાદરા અને નગર હવેલીના શિવસેના અભિનવ ડેલકર ,સાંસદ કલાબેન ડેલકર હાજર રહ્યા હતા સ્વ.મોહન ભાઈ ડેલકર આજે પણ હજારો લોકોના દિલ પર રાજ કરે છે તેને શ્રધ્ધાંજલી આપવા અનેક લોકો પોહચ્યા હતા વાપી શિવસેના થી રોહન દેસાઈ,જીતેન્દ્ર ભાઈ વાડવેકર,ઉદયસિંગ ધોરપોડે,રાકેશભાઈ પાટીલ,અને શિવસૈનિક મોટી સંખ્યા માં જોડાયા હતા
સ્વ. મોહન ભાઈ ડેલકર ને વાપી શિવસેના ની ટિમેં સેલવાસ પોહચી આપી ભાવભીની શ્રધ્ધાંજલિ
By Khabar dar
On: February 23, 2022 4:40 AM







