
કપરાડા અને ધરમપુર ના 150 થી વધુ ગામોને પીવાનું પાણી પોહચતું કરનારી સરકાર ની 586 કરોડ ની પાણી પુરવઠા યોજના અસ્ટોલ જૂથ જે અસ્ટોલ ગામે એના બની રહેલ ઇન્ટેક વેલ અને ટાંકી વગેરે કામગીરી નું નિરીક્ષણ કરવા માટે આજે આકસ્મિક મુલાકાત લીધી હતી અને સમગ્ર કામગીરી નું નિરીક્ષણ કર્યું હતું છેલ્લા કેટલાક સમય થી અસ્ટોલ ગ્રુપ પાણી પુરવઠા યોજના અંગે અનેક ફરિયાદી ઉઠી રહી હોય મંત્રી શ્રી એ સ્વંય અસ્ટોલ પોહચી તમામ કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું તેની સાથે આસપાસના ગામમાં સરપંચો તેમજ જિલ્લા પંચાયત સભ્ય અને તાલુકા પંચાયત સભ્યો પણ તેમની સાથે આકસ્મિક તપાસમાં જોડાયા હતા મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી અટલ પાણી પુરવઠા યોજનામાં તૈયારીના ભાગરૂપે પાણી ચાલુ કરતાં જ અનેક જગ્યાઓ પર પાણીની પાઈપલાઈનો લીક થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેને લઇને અનેક વિસ્તારમાં ખેડૂતોના જમીનમાં હજારો ગેલન પાણી વ્યર્થ વહે છે જ્યારે ઉઠી રહેલી અનેક ફરિયાદો બાદ આજે પાણી પુરવઠાના ગુજરાતના મંત્રી જીતુભાઈ ચૌધરીએ અસ્ટોલ પહોંચીને સમગ્ર કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું





