
મહારાષ્ટ્ર અને ગુજરાત ના અલગ પડવા સમયે ઉમરગામ તાલુકાને ગુજરાત માં રાખવા માટે જેઓ પોતાના ઘર આંગણે આવેલ ઝાડ ઉપર સતત પાંચ દિવસ સુધી રાત વાસો કર્યો હતો અને તેને મળેલી રૂપિયા ના કોથળા ભરેલી ઓફરો પણ ઠુકરાવી હતી તેમજ ઉમરગામ ના લોકો મરાઠી નહિ પણ વારલી ભાષા બોલતા હોય જેથી મહારાષ્ટ્ર માં જોડવામાં આવે તો તકલીફ વધી જશે નું સરકાર ને સમજાવવા માં સફળ રહેલા પૂર્વ ધારાસભ્ય સતું ભાઈ ઠાકરિયા નું નિધન થયું છે તેઓ 97 વર્ષ ના હતા
ઉમરગામ તાલુકાનાં માંડા ગામે પ્લાટપાડા ખાતે સાધારણ જીવન જીવી રહેલા અને મહારાષ્ટ્ર રાજ્ય અને ગુજરાત રાજ્ય એમ બન્ને રાજ્યનાં ધારાસભ્ય બનવાનું સ્વમાન ધરાવતા સતુભાઈ દેવુભાઇ ઠાકરીયાનું 97 વર્ષની જૈફ વયે 3 ફેબ્રુઆરી 2022 નાં રોજ બપોરે 1.15 કલાકે નિધન થયું છે.સતુભાઈ મહારાષ્ટ્ર રાજ્યનાં દહાણુ તાલુકાનાં ધારાસભ્ય તરીકે વર્ષ 1960 માં સેવા આપી હતી.વર્ષ 1960 માં મહારાષ્ટ્ર રાજ્યનું વિભાજન થતાં નવું ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું.ઉમરગામ તાલુકાને મહારાષ્ટ્રમાં સમાવવા સામે લાંબી લડત ચલાવી હતી .





