
ગુજરાત રાજ્યના શિવસેના પાર્ટીના સહ પ્રવકતા અને પ્રખર કાર્યકર્તા શ્રી એન.ડી. કદમ ( નામદેવ કદમ) નું હાર્ટએટેક આવવા ના કારણે હોસ્પિટલ મા સારવાર દરમિયાન દુઃખદ નિધન થયું .
તારીખ 14 ની મોડી રાત્રે અચાનક એમની તબિયત લથડી હતી અને નજીકના ખાનગી હોસ્પિટલમાં એમને ખસેડવામાં આવ્યા ત્યાં તબીબીઓએ એમને ચેકઅપ કરી ઈલાજ શુરું કર્યો પણ ત્યાં જ હાર્ટએટેક આવતા એમનું દુઃખદ નિધન થયું હતું.
પાછલા 32 વર્ષો થી ગુજરાત રાજ્ય મા શિવસેના ને આગળ લાવવા અને જનસામાન્ય લોકોના સુખ દુઃખ મા સાથી બનેલા આવા પ્રખર કાર્યકર્તા અને સમાજ સેવકની ભૂમિકા ભજવી સ્વ. શ્રી એન .ડી. કદમ સાહેબે પોતાનું જીવન અર્પણ કર્યું હતું .
સામાન્ય લોકો હોય કે કોઈ જરૂરતમંદ વ્યક્તિ અને મિત્રો કોઈને પણ ક્યારેક એક ભાઈ તો ક્યારેક એક માર્ગદર્શક અને ક્યારેક એક આદર્શ વડીલ બની બધાનેજ એકસાથે રાખતા કર્મઠ અને સમાજ સેવી સ્વ. શ્રી એન .ડી કદમ (નામદેવ કદમ) સાહેબે એક મિસાલ કાયમ કરી છે .





