વલસાડ નવચેતન ઢોડિયા સમાજ ભવન ખાતે સમસ્ત આદિવાસી સમાજનો સ્નેહમિલન અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો.

0
80

વલસાડ ઢોડિયા સમાજ ભવન ખાતે પ્રમુખ સુમન કેદારીયા,વલસાડના વકીલ કેયુર પટેલ અને રણભૂમિના કાર્યકર્તાઓ,મયુર પટેલ અને આદિવાસી સંઘના કાર્યકર્તાઓ,અનિલ પટેલ,પરેશ પટેલ,ગુંદલાવ સરપંચ નીતિન પટેલ,ધમડાચી સરપંચપતિ નિલેશ પટેલ,બિપિનભાઈ પટેલ,ધર્મેશ નાયકા,ખેડૂત સમાજ અગ્રણી ભગુભાઈ પટેલ,નગરસેવક અમિષ પટેલ,શૈલેષભાઇ પટેલ,સુનિલભાઈ કુંકણા વગેરેની ટીમે કાર્યક્રમમાં અતિથિ તરીકે સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયા,નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ, વલસાડ જિલ્લા પ્રમુખ ઉત્તમભાઈ ગરાસિયા,ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ,યુવા ટાઇગર સેના અઘ્યક્ષ મનીષ શેઠ,કુંકણા સમાજ પ્રમુખ નાનુભાઈ,વલસાડ નગરસેવક રાજુભાઈ મરચા,નાયકા સમાજ પ્રમુખ તુષારભાઈ,માહ્યાવંશી સમાજ અગ્રણી દિનેશભાઇ કોશિયા,ડો.પ્રતિક પટેલ,કમલેશ પટેલ,ડો.હેમંત પટેલ,નીતાબેન પટેલ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.આ પ્રસંગે 328 જેટલાં સમાજના તેજસ્વી તારલાઓના સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સમાજ અને રાષ્ટ્રના હિત માટે પક્ષ-પાર્ટી- ધર્મ-પેટાજ્ઞાતિ વગેરે તમામ વસ્તુઓ ભૂલી એક થવાની હાકલ કરી હતી અને સમાજના તેજસ્વી તારલાઓને સધીયારો આપતાં જણાવેલ કે તમે રાતદિવસ ખંતપૂર્વક મહેનત કરો,સમાજના આગેવાનો હંમેશા તમારી સાથે અને તમારા પડખે ઉભા છે.આ કાર્યક્રમમાં ખુબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહેતા આયોજકોએ ભવિષ્યમાં સંગઠન મજબૂત બનાવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here