Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ધરમપુર કપરાડા માં સમાજ સેવા ને નામે રજીસ્ટર કરાવેલા ટ્રસ્ટ માં કેટલા હેતુ લક્ષી કામો કરે છે ?

On: August 21, 2024 10:34 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કેટલાક ટ્રસ્ટ માં તો 30 વર્ષ ઉપરાંત થી ઓડિટ થયા નથી ચેરિટી કમિશનર તપાસ કરાવે તે જરૂરી 

વલસાડ જિલ્લાના અંતરિયાળ એવા ધરમપુર અને કપરાડા તાલુકામાં આદિવાસીઓના નામે સમાજ સેવાની કામગીરી કરવા માટે અનેક ચેરીટેબલ ટ્રસ્ટો તેમજ અનેક મંડળીઓ દ્વારા ટ્રસ્ટ રજીસ્ટર કરાવવામાં આવ્યા છે જેમના નામે સમાજ સેવાના નામે અનેક દાતાઓ પાસે લાખો રૂપિયા નું ઉઘરાણું કરવામાં આવે છે અને સમાજ સેવાની કામગીરી કરાતો હોવાનું ફોટો સેશન કરાય છે પરંતુ હકીકતમાં એવા કેટલા ટ્રસ્ટો છે જે ખરેખર પોતાનો હેતુ સિદ્ધ કરી રહ્યા છે તે તપાસનો વિષય છે હાલ તો એવા પણ કેટલાક પ્રશ્નો છે જે રજીસ્ટર કરાવ્યા બાદ એકાદ મહીનો સુધી કામગીરી કરી અને પછીથી સુસુપ્ત અવસ્થામાં ચાલી ગયા છે નોંધનીય છે કે આવા અનેક પ્રશ્નો છે જેમાં નિયમિત રીતે ત્રિમાસિક કે વાર્ષિક ઓડિટ સુધ્ધાં કરવામાં આવતા નથી હાલમાં જ ધરમપુરની એક સંસ્થાને સમાજ કલ્યાણ વિભાગે ફોટાનું ટ્રસ્ટ રજીસ્ટર કરાવવા માટે એક નોટિસ પણ ફટકારી હતી તેમ છતાં પણ હજુ સુધી ટ્રસ્ટ રજીસ્ટર કરાવનાર સંચાલકે કોઈ કાર્યવાહી કરી ન હોવાનું જાણવા મળી રહ્યું છે 

ધરમપુરમાં અનેક ચાલતી સહકારી મંડળીઓ અને અનેક નાની લોકોએ સમાજ સેવાના નામે ટ્રસ્ટ રજીસ્ટર કરાવ્યા છે પરંતુ હકીકતમાં ગ્રાઉન્ડ લેવલ ઉપર અને ગામડામાં જઈને બહુ જ જૂજ લોકો કામગીરી કરી રહ્યા છે 

કપરાડા તાલુકાની વાત કરીએ તો અહીંના કેટલાક રાજકીય આગેવાનોએ પોતાની મંડળીના નામના ટ્રસ્ટો રજીસ્ટર કરાવ્યા છે અને આ ટ્રસ્ટોમાંથી સરકારી વિભાગમાં આવતા કેટલાક કામો જેવા કે ચેકડેમ રોડ રસ્તા પંચાયતમાંથી મેળવીને કામગીરી કરી રહ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે ટ્રસ્ટનો ઉપયોગ સામાજિક જવાબદારી નિભાવવા માટે અને સમાજ સેવા કરવા માટે રજીસ્ટર કરાવ્યા હોય ત્યારે આવા ટ્રસ્ટોના સંચાલકો સમાજ સેવાના સ્થાને દાતાઓ દ્વારા આવતા દાનથી ક્યાંક સ્વ વિકાસ તો નથી કરી રહ્યા ને આ સમગ્ર બાબતે ચેરિટી કમિશનર અધિકારી તપાસ કરાવે તેમજ અનેક ટ્રસ્ટમાં છેલ્લા કેટલાય વર્ષોથી બાકી રહેલા ઓડિટ અને ફેરફાર રિપોર્ટ ની પણ તપાસ કરાવે તે જરૂરી બન્યું છે નહીં તો આદિવાસી ક્ષેત્રમાં સમાજ સેવાના નામે સ્વ વિકાસ કરનારાઓ હવે ટ્રસ્ટ રજીસ્ટર કરાવી લાખોનો ખેલ પાડી રહ્યા હોવાની ચર્ચા ઉઠી રહી છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!