અનેક સ્થળે રજુઆતો કરી ને થાકેલા જીલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન નિર્મળાબેન જાદવે આદિવાસી દિવસના કાર્યક્રમમાં હાજર રહેલા રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયાને લખિતમાં રજૂઆત કરી

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગ રૂપે ધરમપુરના લાલ ડુંગરી ખાતે આવેલા ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયાને નિર્મળા બેન જાદવે લખિતમાં અરજી હાથો હાથ આપી સરકારમાં છેલ્લા ૧૦ વર્ષ ઉપરાંત થી પેન્ડીગ માં પડેલી જંગલ જમીન વન અધિકાર અંગેની ફાઈલનો નિકાલ કરી નિર્ણય લેવામાં આવે તે અંગે ની રજૂઆત કરી છે ધરમપુરના માત્ર ત્રણ ગામો મળીને કુલ ૨૫૦ જેટલી ફાઈલો પેન્ડીગ પડી છે

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગ રૂપે ધરમપુર કોલેજ ગ્રાઉન્ડ લાલ ડુંગરી ખાતે ઉપસ્થિત રહેલા ગુજરાતના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી એવા પ્રફુલભાઈ પાનસેરિયાને નિર્મળાબેન દ્વારા લેખિતમાં અરજી કરી જણાવવામાં આવ્યું છે છેલ્લા ૧૦ વર્ષ થી ધરમપુરના ત્રણ ગામોમાં વન અધિકાર જંગલ જમીન ની અપીલ અંગે ની ૨૫૦ જેટલી ફાઈલ સરકારમાં પેન્ડીંગ પડી છે જેના કારણે અનેક ખેડૂતો આજે પણ ખેતી થી વંચિત રહ્યા છે.જો આ અપીલ માં પડેલી ફાઈલોનો નિકાલ કરવામાં આવે તો અનેક આદિવાસી સમાજના ખેડૂતો ને જંગલી જમીન માં ખેતી કરવાના હક્ક મળી શકે અને તેઓ પોતે ખેતી કરી પોતાનું અને પરિવાર નું ગુજરાન ચલાવી શકે એમ છે તેમણે કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ તુતરખેડ ની 52,પૈખેડ ની 95,અવલ ખંડી ની ૧૦૩ મળી કુલ ૨૫૦ ફાઈલો અપીલમાં મુકવામાં આવી છે જે આજે પણ પેન્ડીંગ છે જે અંગે સરકાર માં ઘટતું કરી તેનો નિકાલ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે સમગ્ર બાબતે મંત્રી પ્રફુલ ભાઈ દ્વારા પણ ઉચ્ચસ્તરે રજૂઆત કરી બને તેટલું જલ્દી સમગ્ર બાબતે કાર્યવાહી કરવામાં આવે તે માટે રજૂઆત કરી યોગ્ય કામગીરી કરવા માટે ખાતરી આપવામાં આવી હતી
આમ છેલ્લા ૧૦ વર્ષ થી જંગલ જમીન અધિકાર અંગે ની અપીલ ની ફાઈલો પેન્ડીંગ પડી છે એ નિકાલ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે





